SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ દીક્ષાાત્રિશિકા/બ્લોક-૨૬-૨૭ આશય એ છે કે કર્મથી તિરોહિત રહેલા આત્માના શુદ્ધસ્વરૂપને જે યોગીઓ બાહ્ય અવલંબન વગર શ્રુતચક્ષુથી અવલોકન કરીને તેમાં તન્મય થવા માટે ધ્યાનમાં ઉદ્યમ કરી શકે છે, તેવા યોગીઓ શુદ્ધઉપયોગમાં ઉદ્યમ કરે તે ઉચિત છે; પરંતુ જેઓ તે ભૂમિકાને પામ્યા નથી, તેઓ પણ પોતાનાથી ભિન્ન એવા વીતરાગના ગુણોનું સ્મરણ કરીને, અને વિતરાગના ગુણો પ્રત્યે બદ્ધરાગવાળા થઈને, તે વીતરાગતાની પ્રાપ્તિના અનન્ય ઉપાયભૂત એવા વીતરાગના વચનનું અવલંબન લઈને, ઉચિત ક્રિયાઓમાં યત્ન કરવા દ્વારા પોતાનામાં વર્તતા મોહના ભાવોનું ઉમૂલન કરીને, સ્વભૂમિકા અનુસાર ઉચિત ગુણોમાં ઉદ્યમ કરતા હોય, એવા યોગીઓ માટે વીતરાગના ગુણોનો રાગ અને વીતરાગના વચનનો રાગ, શુદ્ધઉપયોગમાં જવા માટેના અનન્ય ઉપાયરૂપ હોવાથી ન્યાય છે. માટે મોક્ષ પ્રત્યે શુભઉપયોગનું અને શુદ્ધઉપયોગનું સાધારણરૂપે પ્રધાનહેતુપણું છે, એમ માનવું ઉચિત છે. llરકા અવતરણિકા : एतदेव भावयति - અવતરણિકાર્ચ - આને જ પૂર્વગાથામાં કહ્યું કે મોક્ષ પ્રત્યે શુભઉપયોગનું અને શુદ્ધઉપયોગનું સાધારણપણાથી પ્રધાનહેતુપણું છે, એને જ, ભાવન કરે છે – શ્લોક : अध्यात्मादिकयोगानां ध्यानेनोपक्षयो यदि । हन्त वृत्तिक्षयेण स्यात्तदा तस्याप्युपक्षयः ।।२७।। અન્વયાર્થ : નેજ=ધ્યાન વડે ધ્યાનને મોક્ષના કારણરૂપે સ્વીકારવા વડે, કિજો અધ્યાત્મલિયોનાર્ ૩પક્ષીદન્ત =અધ્યાત્માદિ યોગોનો ઉપક્ષય થાય=મોક્ષના કારણરૂપે અસ્વીકાર થાય, તલા તો વૃત્તિક્ષાત્રવૃત્તિક્ષય દ્વારા=વૃત્તિક્ષયને મોક્ષના કારણરૂપે સ્વીકારવા દ્વારા, તથાપિ તેતો પણ શુદ્ધઉપયોગરૂપ ધ્યાનનો પણ, ૩૫ક્ષય —િઉપક્ષય થાય મોક્ષના કારણરૂપે અસ્વીકાર થાય.li૨૭ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy