________________
૭૨
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૨૬ છે, તેમ જેઓ દેશવિરતિનું પાલન કરે છે, તેઓમાં વર્તતા શુભઉપયોગની અપેક્ષાએ સર્વવિરતિનું પાલન કરનારા મુનિના શુભઉપયોગમાં સર્વસંવરનું સન્નિહિતપણું છે. તેથી આપેક્ષિક સન્નિહિત ઉપકારકપણાને ગ્રહણ કરીને શુદ્ધઉપયોગને ઉપાદેય કહી શકાય તો દેશવિરતિના શુભઉપયોગ કરતાં સર્વવિરતિના શુભઉપયોગમાં આપેક્ષિત સન્નિહિત ઉપકારકપણું હોવાથી તેને પણ ઉપાદેય સ્વીકારી શકાય.
તાત્પર્ય એ છે કે જેમ વીતરાગતા પ્રત્યે શુદ્ધઉપયોગ કારણ છે, તેમ કંઈક દૂરવર્તીપણાથી શુભઉપયોગ પણ વીતરાગતા પ્રત્યે કારણ છે, અને દેશવિરતિના શુભઉપયોગ કરતાં સર્વવિરતિનો શુભઉપયોગ વીતરાગતા પ્રત્યે આસન્ન કારણ છે; કેમ કે દેશવિરતિમાં ભગવાનના ગુણોના પક્ષપાતથી ભગવાન પ્રત્યેની ભક્તિને અભિવ્યક્ત કરે તેવી દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ છે, અને સર્વવિરતિના પાલનમાં ભગવાનના વચનનું અવલંબન લઈને સર્વ ઉદ્યમથી વીતરાગતાને અનુકૂળ ઉચિત આચરણાઓ છે. તેથી દેશવિરતિ દૂરવર્તી વીતરાગતાનું કારણ છે, સર્વવિરતિ તેની અપેક્ષાએ આસન્ન રીતે વીતરાગતાનું કારણ છે. તેથી જેમ વીતરાગતાના અર્થી માટે સ્વભૂમિકા અનુસાર શુદ્ધઉપયોગ ઉપાદેય છે, તેમ વીતરાગતાના અર્થી માટે સ્વભૂમિકા અનુસાર શુભઉપયોગ પણ ઉપાદેય છે. શુદ્ધઉપયોગમાં ઉચિત ગુણોમાં વર્તવા સ્વરૂપ ઉધમ છે, શુભઉપયોગમાં નથી, એ પ્રકારના દિગંબરના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ -
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે આપેક્ષિક સન્નિહિત ઉપકારકપણું જેમ શુદ્ધઉપયોગમાં છે, તેમ આપેક્ષિક સન્નિહિત ઉપકારકપણું શુભઉપયોગમાં પણ છે, માટે મોક્ષના અર્થીને જેમ શુદ્ધઉપયોગ ઉપાદેય છે, તેમ શુભઉપયોગ પણ ઉપાદેય છે. ત્યાં દિગંબર કહે કે “શુદ્ધઉપયોગમાં જીવનો ઉદ્યમ ઉચિત ગુણોમાં વર્તવા સ્વરૂપ છે માટે શુદ્ધઉપયોગ ઉપાદેય છે, અને શુભઉપયોગમાં તો જીવને માટે અનુચિત એવા રાગાદિ ભાવોમાં યત્ન કરાય છે, માટે શુભઉપયોગ હેય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે :
શુભઉપયોગમાં પણ સ્વભૂમિકા અનુસાર ઉચિત ગુણોમાં યત્ન વર્તે છે. તેથી મોક્ષના અર્થી માટે શુભઉપયોગમાં યત્ન કરવો એ પણ જાપ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org