________________
દીક્ષાાત્રિાંશિકા/શ્લોક-૨૬ કેવલજ્ઞાનમાં છે. તેથી જો સર્વસંવરના અર્થીએ સન્નિહિતમાં જ ઉદ્યમ કરવો જોઈએ, એમ કહેવામાં આવે તો સર્વસંવરને સન્નિહિત એવા કેવળજ્ઞાનમાં ઉદ્યમ કરવો જોઈએ, તેમ સ્વીકારવું પડે; અને દિગંબર જો એમ કહે કે સર્વસંવરને સન્નિહિત કેવળજ્ઞાન હોવા છતાં કેવળજ્ઞાનમાં સાક્ષાત્ ઉદ્યમ થઈ શકતો નથી, તેથી સર્વસંવરના અર્થી જીવોએ કેવળજ્ઞાનના ઉપાયભૂત શુદ્ધઉપયોગમાં ઉદ્યમ કરવો જોઈએ; વળી જો મોહવાળી અવસ્થામાં કેવળજ્ઞાન માટે સાક્ષાત્ ઉદ્યમનો અસંભવ છે, તેથી મોહવાની અવસ્થામાં કેવલજ્ઞાનના ઉપાયભૂત એવા શુદ્ધઉપયોગમાં ઉદ્યમ દિગંબરને ઇષ્ટ છે; તો જે મુનિઓ શુદ્ધઉપયોગમાં સાક્ષાત્ ઉદ્યમ કરી શકે તેવા નથી, તેવા મુનિઓ શુભઉપયોગમાં ઉદ્યમ કરીને સર્વસંવર તરફ જાય છે, તેમ સ્વીકારવામાં શું વાંધો છે ?
અહીં દિગંબર કહે કે કેવળજ્ઞાનની અપેક્ષાએ સર્વસંવરનું સન્નિહિત ઉપકારકપણું શુદ્ધઉપયોગમાં ભલે ન હોય તો પણ શુભઉપયોગની અપેક્ષાએ સન્નિહિત ઉપકારકપણું શુદ્ધઉપયોગમાં છે. તેથી મોક્ષના અર્થીએ શુદ્ધઉપયોગમાં ઉદ્યમ કરવો જોઈએ.
પૂર્વપક્ષીનો આશય એ છે કે વીતરાગતાની પ્રાપ્તિ અસંગભાવથી થાય છે, અને શુદ્ધઉપયોગ એ અસંગભાવમાં જવા માટેના તન્મયતાથી કરાતા યત્નસ્વરૂપ છે, અને શુભઉપયોગ એ ભગવાનના ગુણો પ્રત્યેના રાગના પરિણામસ્વરૂપ છે; અને રાગનો પરિણામ સાક્ષાત્ વીતરાગતાનું કારણ નથી, પરંતુ અસંગભાવનો પરિણામ સાક્ષાત્ વીતરાગતાનું કારણ છે, અને વીતરાગતા કેવળજ્ઞાન પ્રત્યે કારણ છે, અને કેવળજ્ઞાનથી સર્વસંવર આવે છે, તેથી સર્વસંવરના અર્થીએ અસંગભાવની પરિણતિના અનન્ય કારણભૂત શુદ્ધઉપયોગમાં ઉદ્યમ કરવો ઉચિત છે, પરંતુ શુભઉપયોગમાં ઉદ્યમ કરવો ઉચિત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
આપેક્ષિક સન્નિહિત ઉપકારકપણું જેમ શુદ્ધઉપયોગમાં છે, તેમ આપેક્ષિક સન્નિહિત ઉપકારકપણું શુભઉપયોગમાં પણ છે. માટે જેમ કેવળજ્ઞાન માટે અસમર્થ સાધક તેના ઉપાયભૂત શુદ્ધઉપયોગમાં ઉદ્યમ કરે તે ઉચિત છે, તેમ શુદ્ધઉપયોગ માટે અસમર્થ સાધક શુભઉપયોગમાં ઉદ્યમ કરે તે પણ ઉચિત છે.
આશય એ છે કે અપેક્ષાએ જેમ શુદ્ધઉપયોગમાં સર્વસંવરનું સન્નિહિતપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org