________________
go
દીક્ષાદ્વાચિંચિકા/શ્લોક-૨૩-૨૪-૨૫ વિશેષાર્થ –
અહીં વિશેષ એ છે કે મુનિઓ સર્વ ઉદ્યમથી સમભાવની વૃદ્ધિ માટે યત્ન કરતા હોય છે, અને સમભાવમાં વ્યાઘાતક થાય તેવા કોઈ સંયોગો પ્રાપ્ત થતા હોય તો તેના નિવર્તન માટે યત્ન કરે છે, પરંતુ અરતિને વશ થઈને તેના નિવર્તન માટે યત્ન કરતા નથી.
વળી સમભાવની વૃદ્ધિનું કારણ હોય તેવી આહારાદિની પ્રવૃત્તિઓ મુનિ કરે છે, તોપણ આહારાદિમાંથી આનંદ લેવાની વૃત્તિથી સંસારી જીવોની જેમ મુનિઓ પ્રવૃત્તિ કરતા નથી, કેમ કે તેઓને જગતના બાહ્ય સર્વ પદાર્થો પ્રત્યે સમભાવ છે, તેથી ફક્ત સમભાવની વૃદ્ધિના ઉપાય પ્રત્યે તેઓનો પક્ષપાત છે. માટે સમભાવની વૃદ્ધિના ઉપાયોનું સેવન કરીને પોતાના અસંગભાવની પ્રાપ્તિના આનંદને અનુભવનારા છે, પરંતુ બાહ્ય પદાર્થોમાં આનંદને અનુભવનારા નથી. ૨૩-૨૪ અવતરણિકા :
દીક્ષાનું અત્યાર સુધી વર્ણન કર્યું, તે વર્ણનથી દીક્ષા કેવા સ્વરૂપવાળી પ્રાપ્ત થઈ ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – શ્લોક :
शुद्धोपयोगरूपेयमित्थं च व्यवतिष्ठते ।
व्यवहारेऽपि नैवास्या व्युच्छेदो वासनात्मना ।।२५।। અન્વયાર્થ -
૨ ફુટ્ય અને આ રીતે અત્યાર સુધી દીક્ષાનું વર્ણન કર્યું એ રીતે, શુદ્ધોપચારેય—મોહતા સંશ્લેષ વગરના, આત્માના શુદ્ધ ભાવોને સ્કૂરણ કરવાના કારણભૂત એવા શુદ્ધઉપયોગરૂપ આ દીક્ષા વ્યવસિષ્ઠતે રહેલી છે. વ્યવહાડપિત્રવ્યવહારમાં પણ આહાર-વિહારાદિ ક્રિયાકાળમાં પણ, અસ્થી = આવો શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો, વાસનાત્મિના=વાસનારૂપે ચુસ્કેવો નૈવૈ=વ્યુચ્છેદ નથી જ. રપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org