________________
દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪
ટીકા :
वीराणामित्याद्यारभ्य नवश्लोकी प्रायो व्यक्तार्था । ।१६-१७-१८-१९-२०
૨૨-૨૨-૨૬-૨૪૨૫
ટીકાર્ય :
‘વીરાળામ્’ ઇત્યાદિથી માંડીને નવ શ્લોકો પ્રાયઃ સ્પષ્ટ અર્થવાળા છે. તેથી ગ્રંથકારશ્રીએ આ નવ શ્લોકોની ટીકા કરેલ નથી. ।।૧૬-૨૪।।
ભાવાર્થ :
ત્રસ અને સ્થાવર સર્વ જીવોમાં સમપરિણામવાળા સાધુને સામાયિકરૂપ દીક્ષા ઃ
૫૯
જે જીવો ભાવથી દીક્ષાના પરિણામવાળા છે, તેઓ સદા પોતાનું અસંગભાવરૂપ જે સ્વરૂપ છે, તેને પ્રગટ કરવા માટે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, તેઓને સર્વ ભાવો પ્રત્યે સમભાવના પરિણામરૂપ સામાયિકનો પરિણામ વર્તે છે. તેથી જે સાધુ ત્રસ અને સ્થાવર સર્વ જીવોમાં સમભાવવાળા છે, તેઓ સામાયિકના પરિણામવાળા છે, અન્ય નહિ. માટે જેઓએ સાધુવેશને ગ્રહણ કરેલ છે અને સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવેલી છે, આમ છતાં ષટ્કાયના પાલનમાં સમ્યકૂ ઉદ્યમ કરતા નથી અને અસંગભાવમાં જવા માટે સમ્યક્ ઉદ્યમ કરતા નથી, તેઓને સામાયિકસ્વરૂપ દીક્ષા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી ષટ્કાયના પાલનમાં ઉદ્યમવાળા મુનિઓને સામાયિકસ્વરૂપ દીક્ષા છે.
સામાયિકસ્વરૂપ દીક્ષામાં અરતિ અને આનંદનો અનવકાશ :
જે મુનિઓને સર્વ ભાવ પ્રત્યે સમભાવ છે, તેઓને બાહ્ય કોઈ પ્રતિકૂળ ભાવો પ્રાપ્ત થાય ત્યારે અરતિ થતી નથી કે બાહ્ય અનુકૂળ ભાવોની પ્રાપ્તિ થાય ત્યારે આનંદનો અવકાશ નથી. જેમ આકાશમાં સૂર્ય પ્રકાશમાન હોય ત્યારે અંધકારનો પ્રચાર નથી કે તારાના પ્રકાશનો પણ પ્રચાર નથી, તેમ આત્મામાં સમભાવના પરિણામનો પ્રચાર વર્તતો હોય ત્યારે સંગભાવના કાર્યરૂપ અતિનો કે બાહ્ય પદાર્થોના આનંદનો પ્રચાર વર્તતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org