________________
પ૪
દીક્ષાઢાવિંશિકા/શ્લોક-૨૦ - =એમ ન કહેવું;
કેમ એમ ન કહેવું ? તેમાં હેતુ કહે છે – તેનું ભિક્ષાટનાદિનું, મોહઅજન્યપણું છે.
અહીં પ્રશ્ન થાય કે જો સાધુને શરીર પ્રત્યે મોહ ન હોય તો ભિક્ષાટનાદિ કેમ કરે છે ? તેમાં હેતુ કહે છે – અસંગની પ્રતિપતિથી ભિક્ષાટનાદિ કરે છે, એમ અન્વય છે. ર૦ll
મિક્ષાટના માં મારિ પદથી આહારને વાપરવાની ક્રિયાનું ગ્રહણ કરવું, અને ‘૩પ' થી એ કહેવું છે કે શરીરના અનુરાગ વગર ભોગવિલાસ તો સંભવે નહિ, પરંતુ સાધુની ભિક્ષાટનાદિ ક્રિયા પણ સંભવે નહિ. ભાવાર્થ :
શ્લોક-૧૯માં કહ્યું કે મુનિને શરીરનો અનુરાગ હોય તો ક્ષમાદિ દશવિધ સાધુધર્મ સંભવે નહિ. ત્યાં શંકા કરતાં કહે છે – જો સાધુને શરીરનો અનુરાગ ન હોય તો દેહના પાલન અર્થે ભિક્ષા માટે ઉદ્યમ કેમ કરે છે ? અર્થાત્ ભિક્ષા અટનની પ્રવૃત્તિથી જણાય છે કે સાધુને શરીર પ્રત્યેનો કંઈક અનુરાગ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – - સાધુ ભિક્ષાઅટનની પ્રવૃત્તિ શરીરના મોહથી કરતા નથી, પરંતુ અસંગભાવથી કરે છે, કેમ કે સાધુ ભિક્ષાઅટન માટે જાય છે, ત્યારે પણ વિચારે છે કે “ભિક્ષા મળશે તો સંયમની વૃદ્ધિ થશે અને નહિ મળે તો તપની વૃદ્ધિ થશે.”
આનાથી એ ફલિત થાય છે કે સાધુ ભિક્ષા દ્વારા સાતાના સાધનભૂત દેહનું પાલન કરતા નથી, પરંતુ સંયમવૃદ્ધિના ઉપાયભૂત દેહનું પાલન કરે છે; અને જો ભિક્ષા મળે તો ભિક્ષા પ્રત્યેના સંગ વગર અને દેહ પ્રત્યેના સંગ વગર, ભિક્ષા દ્વારા પુષ્ટ થયેલા દેહથી સ્વાધ્યાયાદિ કરીને અસંગભાવની વૃદ્ધિ કરે છે, અને જો ભિક્ષા ન મળે તો તપ દ્વારા અસંગભાવની વૃદ્ધિ કરે છે. અસંગભાવની વૃદ્ધિ તત્ત્વજ્ઞાનના સંસ્કાર દ્વારા થાય છે, અને તત્ત્વજ્ઞાન સર્વ ભાવો પ્રત્યેના મમત્વનો ત્યાગ કરીને સમભાવમાં વર્તતા ઉપયોગ સ્વરૂપ છે. તેથી મુનિ સમભાવના ઉપયોગથી અસંગભાવના સંસ્કારોનું આધાન કરીને સંગભાવોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org