________________
પર
દીક્ષાદ્વાત્રિંશિકા|શ્લોક-૧૯-૨૦
ભાવ નથી, પરંતુ ગુણવૃદ્ધિના ઉપાયરૂપે સંગ છે, તેથી તેઓ એકાકીભાવવાળા છે.
વળી કોઈ સાધુને બાહ્ય પદાર્થોનો સંગ ન હોય, સહવર્તી સાધુઓ પ્રત્યે પણ સંગનો ભાવ ન હોય, પરંતુ શરીરની શાતા પ્રત્યે અનુરાગ હોય તો તેમને શરીરનો સંગ છે, અને ઉપકરણાદિનો અનુરાગ હોય તો તેનો પણ સંગ છે; અને તેવા સાધુઓ સાક્ષાત્ ક્રોધાદિમાં પ્રયત્ન કરતા ન હોય તોપણ તેઓનો એકાકીભાવ ક્રોધાદિનિયત જ છે; કેમ કે જ્યાં રાગ હોય તેના પ્રતિપક્ષ પ્રત્યે દ્વેષ હોય એવો નિયમ છે. તેથી રાગાદિથી આકુળ ચિત્તવાળા સાધુઓ ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મને વહન કરી શકે નહિ.
વળી અભવ્યાદિ જીવો સંપૂર્ણ અતિચાર વગરનું ચારિત્ર પાળે છે ત્યારે વ્યક્તરૂપે શરીરનો અનુરાગ નથી, શાતાનો અનુરાગ નથી, ભોગોનો અનુરાગ નથી, તોપણ ઉત્તમ શરીર ભોગનું સાધન છે અને શરીર વગરની મુક્ત અવસ્થા ભોગ-વિલાસ વગરની હોવાથી સુંદર નથી, તેવી બુદ્ધિ હોવાને કા૨ણે શરીર પ્રત્યેનો અનુરાગ તેઓને ગયો નથી. તેથી તેવા જીવોનો એકાકીભાવ પણ ક્રોધાદિ ભાવોથી નિયત છે; કેમ કે ભોગના સાધનરૂપે શરીર પ્રત્યેનો અનુરાગ છે અને તેની વ્યાઘાતક સામગ્રી પ્રત્યે દ્વેષ છે. આમ છતાં ઉત્તમ ભોગની પ્રાપ્તિનો ઉપાય ત્યાગ છે, તેથી બાહ્ય ત્યાગ કરીને વર્તમાનમાં ભોગાદિની ઇચ્છા કરતા નથી, તોપણ તેવા જીવોને પરમાર્થથી શરીરાદિનો અનુરાગ ગયો નથી.
વળી જેઓ મોક્ષના અર્થી છે, તેથી સાધુપણું ગ્રહણ કરેલ છે; આમ છતાં સંવિગ્નપાક્ષિક છે, તેઓ પણ શાતાના અર્થી હોવાથી ક્યાંક શરીરને સંયમયોગમાં પ્રવર્તાવવામાં પ્રમાદ કરે છે. તેઓમાં પણ પ૨માર્થથી શરીરાદિનો અનુરાગ સર્વથા ગયો નથી, તેથી તેઓમાં પણ ક્ષમાદિના વિરુદ્ધ એવા ક્રોધાદિ ભાવો છે; કેમ કે શરીરનો અનુરાગ હોય તેને તેના વ્યાઘાતક પ્રત્યે દ્વેષ હોય, એવો નિયમ છે છતાં સંવિગ્નપાક્ષિક તત્ત્વને જાણનારા હોવાથી પોતાના શરીર પ્રત્યેના અનુરાગને દૂર કરવાના ઉદ્યમવાળા પણ છે, તેથી આરાધક છે. ૧૯ અવતરણિકા :
શ્લોક-૧૯માં કહ્યું કે જેઓને શરીરાદિનો અનુરાગ ગયો નથી, તેઓનો એકાકીભાવ પણ ક્રોધાદિનિયત છે. ત્યાં શંકા થાય કે સાધુ પણ દેહનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org