________________
પ૦
દીક્ષાલાત્રિશિકા/બ્લોક-૧૮-૧૯ ભાવાર્થ :સર્વ આરંભ જેના માટે કરાય છે તે ઔદારિક દેહનું પાલન સર્પના લાલન તુલ્ય :
સંસારી જીવો દેહની સાથે અભેદ બુદ્ધિવાળા છે, અને દેહની અનુકૂળતાથી જે સાતા થાય છે, તેનાથી જ પોતે સુખી છે તેવો ભ્રમ ધારણ કરે છે. પરંતુ આત્માનું પારમાર્થિક સુખ શું છે તે જાણતા, તેથી દેહનું પાલન કરવા અર્થે સંસારના સર્વ આરંભો કરે છે, અને તે સંસારના સર્વ આરંભોથી પોતાની મોહધારાની વૃદ્ધિ કરે છે, અને અન્ય જીવોને પીડા કરે છે; અને તસ્કૃત પાપ બાંધે છે, પરિણામે દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેથી દેહના પાલન માટે કરાતો સર્વ આરંભ અનંત દુઃખને કરનારો છે.
વળી આ દેહનું પાલન કરવાથી આત્માને અનંત દુઃખોની પ્રાપ્તિ થતી હોવાથી આ દેહ આત્માનો વેરી છે. વળી આ દેહના પાલનથી બંધાયેલ કાર્પણ દેહના કારણે સંસારમાં જીવ પરવશ થઈને જન્મે છે, પરવશ રીતે જીવે છે અને પરવશ રીતે દુર્ગતિઓની પરંપરાઓને પ્રાપ્ત કરે છે. તેથી જીવને માટે આ દેહ શત્રુભૂત છે અને તેનું લાલન કરવું તે સર્પના લાલન તુલ્ય છે. જેમ સર્પનું લાલન કરવામાં આવે તો તે સર્પ ડંખ દઈને તે પાલન કરનારના મૃત્યુનું કારણ બને છે, તેમ આ દેહનું પાલન પણ અનંત અનર્થોની પરંપરાનું કારણ હોવાથી જીવના વિનાશનું કારણ છે. II૧૮ના અવતરણિકા :
શ્લોક-૧૮માં કહ્યું કે શરીરનું પાલન કરવું તે સર્પના લાલન જેવું છે. તેથી સાધુઓ પરમ વૈરી એવા શરીર સાથે યુદ્ધ કરે છે; અને જેઓને શરીર શત્રુરૂપ છે, તેવું જ્ઞાન થયું નથી. પરંતુ સુંદર શરીર ભોગનું સાધન છે માટે સુખનું સાધન છે તેવું જ્ઞાન છે, તેવા જીવો દીક્ષા ગ્રહણ કરે તોપણ તેમની દીક્ષા સંસારના ભાવો સાથે અવિનાભાવવાળી છે. તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org