SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાત્રિંશિકા|શ્લોક-૧૫ ૪૪ ત્યાગ કરીને, ઉપશમ પામતા=સદનુષ્ઠાનના સેવનથી પૂર્વ-પૂર્વ કરતાં અધિકતર ઉપશમના પરિણામને પામતા, કાયાને=સ્વદેહને, માર્ પીડે=અધ્યયનાદિ કાળે અવિત્કૃષ્ટ એવા તપ દ્વારા પીડે-શાસ્ત્રઅધ્યયનથી સંપન્ન થવામાં વ્યાઘાતક ન થાય, પરંતુ ઉપષ્ટભક થાય, એમ તપથી કાયાને પીડે; ત્યાર પછી=શાસ્ત્રઅધ્યયન કરીને શાસ્ત્રથી ભાવિતમતિવાળા થયા પછી, પ્રકર્ષથી= વિકૃષ્ટ એવા તપ દ્વારા કાયાને પીડે=તપ કરવાની જે પોતાની શક્તિ છે તેના પ્રકર્ષથી કાયાને પીડે; અંત્યમાં જીવનના પ્રાંત સમયે, અનશનાદિરૂપે નિશ્ચયથી પીડે=સર્વ આહારનો ત્યાગ કરીને એકાંતે કાયાનું પીડન કરે. ।।૧૫। * અધ્યયનવિ માં ‘વિ’ પદથી દીક્ષાના અભ્યાસકાળનું ગ્રહણ કરવું. મૈં અનશનાવિ માં ‘વિ’ પદથી સંલેખણાનું ગ્રહણ કરવું. ભાવાર્થ : સઅનુષ્ઠાનના સેવનથી પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક ઉપશમભાવને પામતા સાધુ કાયાને મનામ્, પ્રકર્ષથી અને નિશ્ચયથી પીડન કરે : સદ્દીક્ષાને ગ્રહણ કર્યા પછી પૂર્વના કુટુંબીઓ આદિ સાથે કે મિત્રો આદિ સાથે જે સ્નેહની લાગણીરૂપ સંયોગો હતા, તેનો સાધુ ત્યાગ કરે છે, અને ગુણવાન એવા પુરુષો સાથે સંયોગને કરીને, તેમના ગુણોનું અવલંબન લઈને, સર્વ ઉચિત ક્રિયાઓ ક૨વા દ્વારા, સંયમ ગ્રહણ કરતી વખતે પ્રાપ્ત થયેલા ઉપશમ કરતાં અધિકતર ઉપશમને સાધુ પામતા હોય છે. વળી સાધુ પોતાની શત્રુભૂત એવી આ કાયાને પીડન કરે છે, તેમાં પણ પ્રથમ ભૂમિકામાં અધ્યયનાદિ દ્વારા આત્માને તત્ત્વથી વાસિત ક૨વાનો છે. તેથી તે અધ્યયનાદિની પ્રવૃત્તિથી આત્માને વાસિત કરવામાં વ્યાઘાતક ન થાય તેટલા તપથી કાયાને પીડન કરે, તે બતાવવા માટે મનામ્ તપથી કાયાનું પીડન કરે, એમ કહેલ છે. વળી શાસ્ત્રાધ્યયન કરીને સંપન્ન થયેલા સાધુ આત્માને તે શાસ્ત્રવચનોથી અત્યંત ભાવિત કરતા હોય છે, અને શક્તિ અનુસાર અન્યને પણ શાસ્ત્રના ૫૨માર્થનો બોધ કરાવતા હોય છે. તે ભૂમિકામાં શક્તિના પ્રકર્ષથી તપ કરવામાં આવે તોપણ શાસ્ત્રથી ભાવિત થવામાં વ્યાઘાત થતો નથી, તેથી તે ભૂમિકામાં પ્રકર્ષથી કાયાને પીડે તેમ કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy