________________
૨૯
દીક્ષાહાવિંશિકા/બ્લોક-૧૧-૧૨ વિશેષાર્થ -
અહીં વિશેષ એ છે કે વ્યંતરાદિ દેવો કરતાં સર્વાર્થસિદ્ધમાં રહેલા દેવોને આવેગો અત્યંત ઓછા છે અને પુણ્યનો પ્રકર્ષ પણ વિશેષ છે, તેથી શ્રમ પણ અત્યંત અલ્પ છે. અત્યંત અલ્પ શ્રમ અને અત્યંત અલ્પ આવેગને કારણે જે સુખ સર્વાર્થસિદ્ધના દેવોને થાય છે, તેના કરતાં પણ અધિક સુખનું વેદન, આવેગનું અત્યંત શમન થવાને કારણે અને ક્રિયાઓ પણ અત્યંત સુઅભ્યસ્ત થવાથી સહજ રીતે તે ક્રિયાઓનું સેવન થતું હોવાને કારણે, બાર મહિનાના પર્યાય પછી સાધુને થાય છે. ૧૧૫ અવતરણિકા -
ભગવતીમાં કહેવું છે કે સાધુ માસાદિના પર્યાયથી ગુણશ્રેણિની વૃદ્ધિના કારણે વ્યંતરદેવોની તેજોલેશ્યાનો વ્યતિક્રમ કરે છે, તેને સામે રાખીને
શ્લોક-૧૦માં કહ્યું કે સાધુ બાર મહિના પછી શુક્લ એવા ક્ષમાદિભાવોને પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે સાધુના માસાદિ પર્યાયોની ગણના કઈ રીતે થાય છે ? તેથી કહે છે – શ્લોક :
दिनानि पक्षा मासा वा गण्यन्ते शरदोऽपि च ।
नास्यां गुणाविघातस्य गण्यतेऽवसरः पुनः ।।१२।। અન્વયાર્થ :
શક્યાં આમાં દીક્ષામાં, વિનાનિ પક્ષા માસ વા શોપિ=દિવસો, પક્ષો, માસો કે વર્ષો પણ નથને ન ગણાતાં નથી, પુના=પરંતુ મુળાવિયાતી અવસર: ગુણના અવિઘાતનો અવસર ત્રણ ગુપ્તિના સામ્રાજયરૂપ ગુણના અવિઘાતની ક્ષણો મળ્ય ગણાય છે. In૧૨ા શ્લોકાર્ચ -
આમાં દીક્ષામાં દિવસો, પક્ષો, માસો કે વર્ષો પણ ગણાતાં નથી, પરંતુ ગુણના અવિઘાતનો અવસર ત્રણ ગુતિના સામ્રાજ્યરૂપ ગુણના અવિઘાતની ક્ષણો ગણાય છે. ll૧થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org