SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ દીક્ષાઢાત્રિશિકા/બ્લોક-૧૧ દેવોની તેજોલેશ્યાનો વ્યતિક્રમ=સુખાસિકાનો વ્યતિક્રમ ઘટે છે. |૧૧| માસા માં આવ' પદથી બે માસાદિનું ગ્રહણ કરવું. ચેન્તરાવીનાં માં ‘વિ' પદથી અન્ય દેવજાતિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :દીક્ષાના માસાદિ પર્યાયમાં ગુણશ્રેણિની વૃદ્ધિના કારણે વ્યંતરાદિ દેવોની સુખાસિકારૂપ તેજલેશ્યાનો વ્યતિક્રમ : શ્લોક-૧૦માં કહ્યું કે વચનાનુષ્ઠાનથી સાધુને બાર મહિના પછી ક્ષમાદિ સર્વ ભાવો શુ થાય છે. આ પ્રકારનો નિયમ હોવાને કારણે ભગવતીમાં કહ્યું છે કે સંયમના પાલનથી ગુણશ્રેણિની વૃદ્ધિના કારણે સાધુ માસાદિ સંયમ પર્યાયમાં વ્યતરાદિ દેવોની સુખાસિકારૂપ તેજલેશ્યાનો વ્યતિક્રમ કરે છે. આશય એ છે કે વ્યંતરાદિ દેવોને મનુષ્યના સુખ કરતાં ભૌતિક સુખો ઉત્તમ છે. વળી ત્યાં પણ જે સમ્યગ્દષ્ટિ દેવો છે, તેઓને ભોગમાં આવેગો અલ્પ હોય છે, અને દેવલોકમાં પુણ્યનો પ્રકર્ષ હોવાથી અલ્પ આયાસથી ભોગસુખની પ્રાપ્તિ થાય છે; કેમ કે મનુષ્યની જેમ ભોગ અર્થે વાણિજ્યાદિની પ્રવૃત્તિ કરવી પડતી નથી; અને જેમ જેમ આયાસ અને આવેગ અલ્પ હોય તેમ તેમ સુખનો અનુભવ અધિક હોય છે, તેથી સમ્યગ્દષ્ટિ મનુષ્યને પણ ભોગસુખમાં તેવી સુખાસિકાનો અનુભવ થતો નથી, જેવો સુખાસિકાનો અનુભવ અલ્પ આયાસને કારણે દેવોમાં રહેલા સમ્યગ્દષ્ટિને થાય છે; તેમ મુનિ પણ સંયમ ગ્રહણ કર્યા પછી અપ્રમાદભાવથી સંયમયોગમાં યત્ન કરે ત્યારે અંદરમાં ઇન્દ્રિયોના આવેગોનું શમન થાય છે, અને શાસ્ત્રાનુસારી ક્રિયાઓ જેમ જેમ સુઅભ્યસ્ત થાય છે, તેમ તેમ અલ્પ આયાસથી તે ક્રિયાઓ સેવી શકાય છે, માટે સંયમ ગ્રહણ કર્યા પછી સાધુને સુખાસિકરૂપ તેજોવેશ્યાની વૃદ્ધિ થાય છે. તેથી જે સમ્યગ્દષ્ટિ વ્યંતરાદિ દેવોને સુખાસિકા છે, તે સુખાસિકા કરતાં પણ અધિક-અધિક સુખાસિકા માસાદિ પર્યાયમાં સાધુને પ્રાપ્ત થાય છે. અહીં સમ્યગ્દષ્ટિ વ્યંતરાદિ ગ્રહણ કરવાથી એ પ્રાપ્ત થાય છે કે મિથ્યાદૃષ્ટિને વિપર્યય છે, તેથી ભોગમાં આવેગ ઘણો છે. માટે તેઓને તેવું સુખ થતું નથી, તેથી તેમને ગ્રહણ કરેલ નથી. ૧ ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy