________________
૨૦
દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૮
ભક્તિ અંશ પ્રધાન હોય તો તે અનુષ્ઠાન ભક્તિઅનુષ્ઠાન બને છે, અને તે અનુષ્ઠાન ભગવાનના વચનના સ્મરણના નિયંત્રણપૂર્વક હોય તો તે અનુષ્ઠાન વચનાનુષ્ઠાન બને છે, અને સંસારના કારણીભૂત એવો સંગનો પરિણામ જેમાં તિરોધાન પામેલ છે, અને જીવનો અસંગ સ્વભાવ જેમાં પ્રધાન છે, એવું તે અનુષ્ઠાન અસંગઅનુષ્ઠાન છે.
ષોડશક-૧૦/૩માં પ્રીતિઅનુષ્ઠાનનું લક્ષણ કહે છે :
મોક્ષસાધક જે અનુષ્ઠાનના સેવનમાં જીવને પરમ આદર છે અને કર્તાને હિતના ઉદયવાળી પ્રીતિ જેમાં વર્તે છે અર્થાત્ જે પ્રીતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને વીતરાગતાનું કારણ છે, તેવી હિતના ઉદયવાળી પ્રીતિ કર્તાને વર્તે છે, અને અનુષ્ઠાન સેવન કરનાર પુરુષ શેષ સર્વ અનુષ્ઠાનના ત્યાગથી=જે અનુષ્ઠાન સેવે છે તે પ્રીતિઅનુષ્ઠાન છે.
અહીં વિશેષ એ છે કે પ્રીતિઅનુષ્ઠાન કરનારા મન-વચન-કાયાથી તે અનુષ્ઠાનમાં જ ઉપયોગવાળા હોય છે, અને જેઓનું ચિત્ત અનુષ્ઠાનકાળમાં અન્ય વિષય સાથે વારંવાર કે ક્વચિત્ સંલગ્ન થતું હોય, તેટલા અંશમાં પ્રીતિની ન્યૂનતા છે, અને જેઓને તે અનુષ્ઠાનમાંથી પ્રીતિજન્ય આનંદ થતો નથી, તેઓનું તે અનુષ્ઠાન પ્રીતિઅનુષ્ઠાન પણ નથી.
ષોડશક-૧૦/૪માં ભક્તિઅનુષ્ઠાનનું લક્ષણ કહે છે :
ભગવાનની ભક્તિ આદિ અનુષ્ઠાનકાળમાં ભગવાનના ગુણોનું કંઈક પરિજ્ઞાન થવાથી ભક્તિઅનુષ્ઠાનમાં ભગવાનની ભક્તિનો અંશ પ્રધાન બને છે. તેથી ભક્તિઅનુષ્ઠાન ક્રિયાથી પ્રીતિઅનુષ્ઠાન તુલ્ય હોવા છતાં, પ્રીતિઅનુષ્ઠાન કરતાં વિશુદ્ધતર વ્યાપારવાળું છેવીતરાગાદિ ગુણોને અભિમુખ ગમનને અનુકૂળ એવા વિશુદ્ધતર વ્યાપારવાળું છે. વળી ભક્તિઅનુષ્ઠાનકાળમાં જીવોને જેની ભક્તિ ક૨વાની હોય એવા દેવ-ગુરુના ગુણોનું પરિજ્ઞાન હોય છે, અથવા જે અનુષ્ઠાન સેવવાનું હોય તે અનુષ્ઠાનથી આત્મામાં કેવા ગુણો પ્રગટ થાય છે, તેનું પરિજ્ઞાન હોય છે, તેથી તે અનુષ્ઠાનમાં ભક્તિ અંશ પ્રધાન છે.
વળી પ્રીતિઅનુષ્ઠાનમાં જેમ ચિત્ત અન્યત્ર ગમન કરતું હોય તો તે પ્રીતિઅનુષ્ઠાન તેટલા અંશમાં ન્યૂનતાવાળું છે, તેમ ભક્તિઅનુષ્ઠાનકાળમાં પણ ચિત્ત અન્યત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org