________________
૨૯
દીક્ષાદ્વાઢિશિકા/શ્લોક-૮ ગમન કરતું હોય તો તે ભક્તિઅનુષ્ઠાન પણ તેટલા અંશમાં ન્યૂનતાવાળું છે.
વળી આ ભક્તિઅનુષ્ઠાન સેવનાર પુરુષ ભગવાનના વચનના પૂર્ણ નિયંત્રણ અનુસાર તે અનુષ્ઠાન કરવાની ઇચ્છાવાળા હોવા છતાં, ભગવાનના વચનના પૂર્ણ નિયંત્રણ પ્રમાણે તે અનુષ્ઠાન સેવી શકતા નથી, તેથી તેઓનું તે અનુષ્ઠાન વચનાનુષ્ઠાન નથી, પણ ભક્તિઅનુષ્ઠાન છે; કેમ કે વચનાનુષ્ઠાન ભગવાનના વચનના યથાર્થ બોધથી લબ્ધલક્ષ્યવાળું હોય છે, અને સેવનકાળમાં બદ્ધલક્ષ્ય થઈને સેવાતું હોય છે. જ્યારે ભક્તિઅનુષ્ઠાનવાળા પુરુષ ભગવાનના વચનથી લબ્ધલક્ષ્યવાળા હોય તોપણ સેવનકાળમાં બદ્ધલક્ષ્યવાળા થઈને તે અનુષ્ઠાન સેવી શકતા નથી. તેથી ભક્તિઅનુષ્ઠાનવાળા જીવો ત્રણેય યોગથી અનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોય તોપણ તેઓનું અનુષ્ઠાન વચનાનુષ્ઠાન બનતું નથી.
અહીં વિશેષ એ છે કે ભગવાનનું દરેક વચન શક્તિના પ્રકર્ષથી અસંગભાવને અનુકૂળ એવા સમભાવની વૃદ્ધિને અનુકૂળ પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપે છે, અને તે વચનનો પરમાર્થ જેમને પ્રાપ્ત થયો છે, તેઓ લબ્ધલક્ષ્યવાળા છે, અને લક્ષ્યનો નિર્ણય કર્યા પછી સેવાતા અનુષ્ઠાનના દરેક અંગને જેઓ તે લક્ષ્યને અનુરૂપ એવી શકે, તેઓ બદ્ધલશ્યવાળા છે. ષોડશક-૧૦/કમાં વચનઅનુષ્ઠાનનું લક્ષણ કહે છે :
જે સાધુઓ સંસારના સ્વરૂપથી અત્યંત ભાવિત છે, તેથી સંસારના પરિભ્રમણથી અત્યંત ભય પામેલા છે અને સંસારના પરિભ્રમણથી રક્ષણનો ઉપાય ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ છે, તેવો સ્થિર નિર્ણય જેમને છે, તે સાધુઓ શક્તિના પ્રકર્ષથી ભગવાનના વચનના પરમાર્થને જાણીને દરેક ઉચિત અનુષ્ઠાન તે રીતે સેવે છે, કે જેથી સર્વત્ર ઉચિત વ્યાપાર થાય, સર્વત્ર ઉચિત વ્યાપાર સમભાવની વૃદ્ધિનું બીજ છે. તેથી સમભાવના પરિણામવાળા સાધુ મન-વચન-કાયાથી ગુપ્ત થઈને ભગવાનના વચનાનુસાર સર્વ ઉચિત અનુષ્ઠાન સેવે છે, તે વચનઅનુષ્ઠાન છે, અને જેઓને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે, એવા સાધુને નિયમથી આ વચનાનુષ્ઠાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org