SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાત્રિંશિકા| શ્લોક-૭ કરાતા એવા, વિપાકથી ક્ષમા તે વિપાકક્ષમા છે અને ઉપકારીપણાદિના નિરપેક્ષપણાથી આગમનું આલંબન કરીને ક્ષમા કરનારને વચનથી ક્ષમા છે. શરીરના છેદમાં અને દાહાદિમાં ચંદનની જેમ સૌરભાદિ સ્વધર્મ જેવી પરના ઉપકારને કરનારી, સહજપણાથી અવસ્થિત, અવિકારી આત્માના શુદ્ધસ્વભાવરૂપ ધર્મથી થનારી ક્ષમા ધર્મક્ષમા છે. આ પ્રકારે શાસ્ત્રમાં પાંચ પ્રકારની ક્ષમા કહેવાઈ છે. યવુત્તું - જે કારણથી ષોડશક-૧૦/૧૦માં કહેવાયું છે “પાર્થ ક્ષાન્તિઃ” કૃતિ।। “ઉપકારીપદ ઉત્તરમાં અભિધેય એવી ક્ષાંતિ મનાઈ છે, અપકારી પદ ઉત્તરમાં અભિધેય એવી ક્ષાંતિ મનાઈ છે, વિપાકપદ ઉત્તરમાં અભિધેય એવી ક્ષાંતિ મનાઈ છે, વચનપદ ઉત્તરમાં અભિધેય એવી ક્ષાંતિ મનાઈ છે. ધર્મપદ ઉત્તરમાં અભિધેય એવી ક્ષાંતિ મનાઈ છે.” ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. [૭]ા ભાવાર્થ : પાંચ પ્રકારની ક્ષમાનું સ્વરૂપ ઃ (૧) ઉપકારક્ષમા ઃ જે જીવો પ્રકૃતિથી કંઈક ક્લેશપ્રિય નથી, તેવા જીવો પોતાના ઉપકારી વડે કહેવાયેલાં દુર્વચનોને પણ સહન કરે છે. તે વખતે તે વચનો ચંડ=ઉગ્ર થવામાં કારણ હોવા છતાં ઉપકારના સ્મરણને કા૨ણે પોતાની ચંડ પ્રકૃતિ તિરોધાન પામે છે, તે ઉપકા૨થી ક્ષમા છે. ૨૧ (૨) અપકારક્ષમા ઃ કોઈક પુરુષ પોતાને દુર્વચન કહેતો હોય, અને તે દુર્વચન સહન ન કરવામાં આવે તો તે દુર્વચન કહેનાર પુરુષ પોતાનો અપકારી થશે, એ પ્રકારના આશયથી તેના દુર્વચનથી પણ ચિત્ત પ્રકોપિત ન થાય, તે અપકારથી ક્ષમા છે. (૩) વિપાકક્ષમા ઃ જેની પ્રકૃતિ કંઈક ક્લેશપ્રિય નથી, તેવો જીવ, જેમ ઉપકારીના ઉપકારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy