SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૬-૭ આવા સાધક આત્માઓ વચનક્ષમાદિના સેવનથી ક્રમે કરીને ધર્મક્ષમાદિ ભાવોને પ્રાપ્ત કરે છે, ત્યારે તે ક્ષમાદિભાવો તેમની પ્રકૃતિરૂપ બને છે. વચનાનુષ્ઠાનથી અસંગભાવની પ્રાપ્તિ થાય ત્યારે ધર્મક્ષમાદિની પ્રાપ્તિ : વળી દીક્ષાની પ્રાપ્તિ સાથે અધ્યયન આદિની અભિરતિરૂપ=અભિરુચિરૂપ વચનાનુષ્ઠાન પ્રગટે છે. તેથી મહાત્મા નવા નવા શ્રુતગ્રહણમાં, ગ્રહણ કરાયેલા શ્રુતનું સ્થિરીકરણ કરવામાં અને સ્થિર થયેલા શ્રુતને પરિણમન પમાડવામાં ઉદ્યમ કરે છે, અને જ્યારે તે મૃતથી નિષ્પાદ્ય ભાવો આત્મામાં અત્યંત સ્થિર થાય છે, ત્યારે તન્મય ભાવ થવાથી સ્પર્શની પ્રાપ્તિ થાય છે=શ્રુતથી નિષ્પાદ્ય ભાવો આત્મસાત્ થાય છે ત્યારે અસંગભાવની પ્રાપ્તિ થાય છે અર્થાત્ જીવ ભાવથી સંગ વગરનો થાય છે ત્યારે ધર્મક્ષમાદિ પ્રગટે છે. વચનામાદિ અને ધર્મક્ષમાદિ વચ્ચેનો ભેદ :વચનામાદિ ભાવોમાં વચનના અવલંબનથી ક્ષમાદિભાવો ફુરણ થાય છે અને વૃદ્ધિ પામે છે; અને ધર્મક્ષમાદિના પ્રાપ્તિકાળમાં જીવની પ્રકૃતિરૂપે ક્ષયોપશમભાવના ક્ષમાદિભાવો વર્તે છે અને ક્ષાયિકભાવને અભિમુખ વૃદ્ધિ પામે છે અને વચનક્ષમાકાળમાં વચનનું અવલંબન શિથિલ થાય તો ક્ષમાદિના પ્રતિપક્ષ ભાવો પણ પ્રગટે છે. આથી આરાધક સાધુને પણ વચનના અવલંબનના શૈથિલ્યને કારણે અતિચારોની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સંવનના ઉદયથી યોગીનો આત્મા ઇષદ્ કષાયોથી પ્રજ્વલિત થાય છે; અને ધર્મક્ષમાની આદ્ય ભૂમિકામાં બળવાન વ્યાઘાતક સામગ્રી આવે તો ક્ષમાદિના પ્રતિપક્ષ ભાવો પ્રગટે પણ છે, પરંતુ ક્ષાયિક ભાવની ધર્મક્ષમા પ્રાપ્ત થયા પછી પ્રતિપક્ષ ભાવો થવાનો સંભવ નથી. IIકા અવતરણિકા : શ્લોક-૬માં કહ્યું કે સાધુને આદ્ય ભૂમિકામાં વચનક્ષમા આવે છે, પછી ધર્મક્ષમા આવે છે. તેથી ક્ષમા કેટલા પ્રકારની છે, તે બતાવવા અર્થે કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy