________________
દીક્ષાઢાવિંશિકાસંકલના
૨૮મી “દીક્ષાદ્વાચિંશિકામાં આવતા પદાર્થોની
સંક્ષિપ્ત સંકલના
૨૭મી ભિક્ષુબત્રીશીમાં કર્મને જે ભેદે તે ભિક્ષુ કહેવાય, એ વ્યુત્પત્તિથી ભિક્ષુનું સ્વરૂપ બતાવ્યું. હવે તે ભિક્ષુ દીક્ષાથી યુક્ત હોય છે, તેથી પ્રસ્તુત બત્રીશીમાં દીક્ષાનું સ્વરૂપ ગ્રંથકાર શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા બતાવે છે :“દીક્ષા' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ -
દીક્ષા' શબ્દમાં “દી” અને “ક્ષા' એ બે શબ્દો છે. તે શબ્દોને આશ્રયીને દી’નો અર્થ દાન થાય અને “ક્ષ'નો અર્થ પણ થાય. તેથી જે શ્રેયનું દાન કરે અને અશિવનું ક્ષપણ કરે, તે દીક્ષા કહેવાય, આ પ્રકારનો દીક્ષાનો વ્યુત્પત્તિ અર્થ છે. તેથી એ ફલિત થાય કે જે પ્રવૃત્તિથી સંસારના અનર્થરૂપ અશિવોનો નાશ થાય અને સદ્ગતિની પરંપરા દ્વારા પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિ થાય તે દીક્ષા કહેવાય.
જે જીવને સંસારના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું છે, તેથી ભવથી વિરક્ત થઈને જેણે સંયમ ગ્રહણ કર્યું છે અને શાસ્ત્ર જાણીને ભગવાનના વચનના પરમાર્થનો બોધ કર્યો છે, તેવા જ્ઞાની પુરુષને નિયમથી આ દીક્ષા હોય છે; અને તેવા જ્ઞાની પુરુષને જેઓ પરતંત્ર હોય છે, તેમને પણ દીક્ષા હોય છે; કેમ કે ભગવાનના વચનના પરમાર્થને જાણનારા એવા જ્ઞાની પુરુષ, અને તે જ્ઞાનીને પરતંત્ર રહેનારા એવા યોગી પુરુષ, સર્વ ઉદ્યમથી ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરીને સંસારના બીજભૂત મોહનું ઉમૂલન કરે છે, તેથી મોહને કારણે જે અનર્થોની પરંપરા હતી, તેનું ક્ષપણ થાય છે, અને અમોહી ચિત્ત થવાથી કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે.
આ દીક્ષા શાસ્ત્રવિધિ અનુસાર નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવસ્વરૂપ છે. (૧) નામદીક્ષા દીક્ષા આપતી વખતે પૂર્વના નામનો ત્યાગ કરાવીને, દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org