________________
દીક્ષાહાત્રિશિકા/પ્રસ્તાવના શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેમણે પણ આવી ઉત્તમ કાત્રિશિકાના વાંચનનો-પ્રૂફસંશોધનનો લાભ મળવા બદલ કૃતાર્થતા વ્યક્ત કરેલ છે.
પ્રસ્તુત કાત્રિશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છબસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ' માંગું છું.
પ્રાંતે સ્વ અધ્યાત્માદિ યોગોની નિર્મળતા માટે કરાયેલો આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને આ સંકલન-આલેખન કાર્ય અનુભવમાં પલટાય અને પ્રસ્તુત બત્રીશીના શ્લોક-૩૨માં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કહ્યું કે “સદ્દીક્ષા ક્રિયાસ્વરૂપે ચિત્ર છે અને સામાયિકસ્વરૂપે એક છે. જ્ઞાનક્રિયાના તુલ્યબળથી શિષ્ટ પુરુષો વડે સદ્દીક્ષા પરમાનંદરૂપ મોક્ષને કરનારી મનાઈ છે.” તેથી મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલી આ સદ્દીક્ષા મને અને સદ્દીક્ષા ગ્રહણ કરનાર સૌ કોઈને નિકટના ભાવોમાં પરમાનંદપદની પ્રાપ્તિ કરાવનાર બને એ જ શુભકામના.
જ્યામજી સર્વનીવાનામ' +
વિ. સં. ૨૦૬ર, તિથિ-વૈશાખ સુદ-૧૦, તા. ૭-૫-૨૦૦૬, એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭.
વ્યાખ્યાનવાચસ્પતિપ.પૂ.આ. શ્રીરામચંદ્ભૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. હમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. સમતામૂર્તિપ્રવર્તિની સા. રોહિતાશ્રીજીમહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org