________________
૭
દીક્ષાદ્વાત્રિંશિકા|સંકલના
લેનાર સાધુની યોગ્યતાને અનુસાર નામનો ન્યાસ ક૨વામાં આવે છે, તેથી કોઈ સાધુનું પ્રશાંત નામ કરવામાં આવેલ હોય તો તે સાધુ પોતાના નામસ્મરણના બળથી ચિત્તને પ્રશાંત રાખીને યોગમાર્ગમાં સુદૃઢ યત્ન કરી શકે છે.
(૨) સ્થાપનાદીક્ષા=સ્થાપના આકારવિશેષરૂપ છે અર્થાત્ સાધુના વેષરૂપ છે. દીક્ષા ગ્રહણ કરતી વખતે રજોહરણ-મુખવસ્ત્રિકાદિ સાધુવેશ ધારણ કરવા દ્વારા તે વેશને અનુરૂપ ભાવથી યુક્ત પ્રવૃત્તિ કરવાને કારણે સ્થાપનાથી ભાવરોગોનો નાશ થાય છે અને ભાવ આરોગ્યની વૃદ્ધિ થાય છે. તેથી સ્થાપના દીક્ષા આરોગ્યને કરનારી છે.
(૩) દ્રવ્યદીક્ષા=સાધુ સંયમ ગ્રહણ કરે પછી આચારાદિ શ્રુતનું અધ્યયન કરે અને સકલ સાધુસામાચારીનું પાલન કરે તે દ્રવ્યદીક્ષા છે. તે દ્રવ્ય આચરણાથી મોહના ઉન્મૂલનને અનુકૂળ કરાયેલી વ્રતની પ્રતિજ્ઞામાં સ્વૈર્ય થાય છે, તેથી દ્રવ્યદીક્ષા આત્મામાં સ્થિર ભાવ પ્રગટ કરવાનું કારણ છે.
(૪) ભાવદીક્ષા=દીક્ષા ગ્રહણ કરતી વખતે ‘ભગવાનનું વચન જ પરમાર્થ છે, શેષ સર્વ અનર્થ છે', તે પ્રકારની સ્થિર રુચિ થાય છે, તે રુચિને કારણે ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે વિશેષ ઉદ્યમ થાય છે, અને તે ભગવાનના વચનના પરમાર્થના બોધને અનુરૂપ આત્માને ભાવિત કરવા માટેનો યત્ન થાય છે. આ ત્રણ જીવની સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્રની પરિણતિ છે. આ પરિણતિ તે દીક્ષા ગ્રહણકાળનો જીવનો ભાવ છે, અને આ ભાવ ઉત્તરોત્તર પ્રકર્ષને પામીને આચાર્યાદિ વિશિષ્ટ ભાવોને આત્મામાં પ્રગટ કરનાર બને છે, અને અંતે સિદ્ધપદને પ્રગટ કરનાર બને છે. દીક્ષાના પ્રારંભકાળમાં વચનક્ષમાદિ ભાવો, દીક્ષા સુઅભ્યસ્ત થાય ત્યારે ધર્મક્ષમાદિ ભાવો ઃ
દીક્ષાના પ્રારંભકાળમાં વચનક્ષમા, વચનમૃદુતા આદિ ભાવો આવે છે, અને દીક્ષા સુઅભ્યસ્ત થાય ત્યારે ધર્મક્ષમા, ધર્મમૃદુતા આદિ ભાવો આવે છે. વળી દીક્ષાના પ્રારંભમાં ભગવાનના વચનના સ્મરણથી વીતરાગભાવને અનુકૂળ એવા ઉચિત યત્નરૂપ અનુષ્ઠાનનું સેવન થાય છે અને દીક્ષા સુઅભ્યસ્ત બને છે ત્યારે સર્વ ભાવો પ્રત્યેના સંગ વગરના જીવના પરિણામરૂપ અસંગઅનુષ્ઠાન પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org