________________
૭૨
યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૫ (૫) ઇચ્છાનો અભિઘાત ઈચ્છા પ્રમાણે કાર્ય થવું પ્રાકામ્ય છે. (૬) શરીર અને અંતઃકરણનું ઈશપણું પોતાના શરીર અને પોતાના અંતઃકરણ ઉપર પોતાનું પ્રભુત્વ અર્થાત્ સ્વઈચ્છાનુસાર શરીર અને અંતઃકરણને પ્રવર્તાવી શકે એવું સામર્થ્ય ઈશિત્વ છે.
(૭) સર્વ ઠેકાણે સમર્થપણું વશિત્વ છે, જેથી સર્વ જ ભૂતો તેમના વચનનું અતિક્રમ કરતા નથી=ભૂતજય કરેલા યોગીના વચનનું અતિક્રમ કરતા નથી.
(૮) સ્વઅભિલલિત કાર્યનું સ્વઈચ્છિત કાર્યનું, સમાપ્તિ પર્યત લઈ જવું તે યત્રકામાવસાયિત્વ છે. પાંચ ભૂતના જયથી કાયસંપતું થાય છે તે બતાવે છે –
સંપર્વ ..... રૂત્યુત્તે., અને ઉત્તમ રૂપાદિસ્વરૂપ કાયસંપર્ છે; કેમ કે “રૂપ, લાવણ્ય, બલ, વજસંહનાનપણું કાયસંપતું છે એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર૩/૪૬નું વચન છે.
પાંચ ભૂતના જયથી કાયાના રૂપાદિ ગુણોનો અનભિઘાત થાય છે, તે બતાવે છે – તમિવાક્ય .. ગાયત્તે, અને તેના ધર્મનો અભિઘાતઃકાયાના ધર્મો રૂપાદિ તેના અભિઘાતનો અભાવ અર્થાત્ નાશનો અભાવ થાય છે.
ભૂતના ભયથી કાયાના ધર્મનો અભિઘાત થાય છે, તે સ્પષ્ટ કરે છે - ન ચ .. શોષથતીતિ, આના=ભૂતના, જયવાળા યોગીની કાયાના રૂપને અગ્નિ બાળતો નથી અને પાણી ભીંજવતું નથી અને વાયુ શોષણ કરતો નથી.
ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. તવિમુવતમ્ - તે આ=ભૂતતા જયથી અણિમાદિ, કાયસંપતું અને કાયાના ધર્મનો અભિઘાત થાય છે તે આ, પાતંજલ યોગસૂત્ર-૩/૪૫માં કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org