SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧૪ ગત વ ... મહાત્, આથી જ=તે મનોવૃત્તિ શરીરમાં અહંકારના વિગમને કારણે થયેલી હોવાથી જ, અકલ્પિતપણું હોવાને કારણે-તે મનોવૃત્તિમાં અકલ્પિતપણું હોવાને કારણે, મહત્પણું છે, તેથી મહાવિદેહા છે એમ અત્રય છે. શરીરદારે ... ત યાવત, જે કારણથી શરીરમાં અહંકાર હોતે છતે જે બહિર્વતિ છે તે કલ્પિત કહેવાય છે. કરાયેલા સંયમવાળી એવી તેનાથી=મહાવિદેહરૂપ મનોવૃત્તિથી, શુદ્ધ સર્વસ્વરૂપ પ્રકાશનું ક્લેશ-કર્માદિરૂપ જે આવરણ, તેનો ક્ષય થાય છે અર્થાત્ સર્વ ચિત્તના મલો ક્ષય પામે છે. તલુવમ્ - તે=મહાવિદેહાથી=અકલ્પિત મનોવૃત્તિરૂપ મહાવિદેહામાં સંયમ કરવાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે તે, પાતંજલ યોગસૂત્ર-૩/ ૪૩માં કહેવાયું છે – “દિરન્જિતા ..... પ્રારાવરક્ષયઃ” રૂતિ | બહિરુ અકલ્પિતાવૃત્તિ મહાવિદેહા છે. તેનાથીeતે મહાવિદેહા વૃત્તિમાં સંયમ કરવાથી, પ્રકાશના આવરણનો ક્ષય થાય છે.” રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૪મા ભાવાર્થ : પાતંજલ મત પ્રમાણે યોગનાં અન્ય બે માહાભ્યો બતાવે છે – (૨૪) કાય અને આકાશના અવકાશદાનસંબંધના સંયમથી અને લઘુતૂલમાં સમાપત્તિથી આકાશમાં ગતિની સિદ્ધિઃ સાધના કરનારા યોગીઓ પાંચ ભૂતથી બનેલા શરીરમાં અને શબ્દતન્માત્રાથી ઉત્પન્ન થયેલા આકાશમાં સંયમ કરે છે અર્થાત્ જે આકાશમાં પોતાનું શરીર રહેલું છે તે આકાશની સાથે પોતાના શરીરના સંબંધમાં સંયમ કરે છે; અને ત્યારપછી લઘુ એવા તૂલની સાથે તન્મયભાવરૂપ સમાપત્તિને પ્રાપ્ત કરે છે અર્થાત્ બુદ્ધિરૂપી ચક્ષુથી લઘુ એવા ફૂલ જેવા પોતાના શરીરને ઉપસ્થિત કરીને તેમાં તન્મયભાવને પ્રાપ્ત કરે છે, જેથી પોતાનો દેહ લઘુભાવને પામે છે, તેથી યોગી આકાશમાં ગતિ કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy