SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગમાહાભ્યદ્વાસિંચિકા/શ્લોક-૧૧ ભાવાર્થ : (૧૯) (ii) પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તારૂપ જ્ઞાનોની પ્રાપ્તિ : શ્લોક-૧૦ના ઉત્તરાર્ધમાં કહ્યું કે પરાર્થક એવા ભોગથી ભિન્ન સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષની સંવિત્ર થાય છે. હવે તે સ્વાર્થમાં સંયમ કરવાથી અન્ય શું શું ફળવિશેષો થાય છે, તે બતાવતાં કહે છે – (૧) પ્રતિભજ્ઞાન : સ્વાર્થસંયમરૂપ અભ્યાસ કરાતા એવા પુરુષના સંયમથી પ્રતિભજ્ઞાન થાય છે, અને તે પ્રાતિજજ્ઞાનનું વર્ણન શ્લોક-૧૦ના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. તે પ્રાતિજજ્ઞાનના અનુભાવથી સૂક્ષ્મ એવા પરમાણુ આદિ અર્થો, વ્યવહિત એવા ભૂમિ અંતર્ગત નિધાનાદિ અને વિપ્રકૃષ્ટ એવા મેરુના અપર પાર્શ્વવર્તી રસાયનાદિ પદાર્થોને યોગી જોઈ શકે છે. આ પ્રાતિભજ્ઞાન તે શ્લોક-૧૦માં બતાવેલ તારકજ્ઞાન છે, અને તે વિવેકખ્યાતિના પૂર્વભાવિ એવું જ્ઞાન છે. તે જ્ઞાન થયા પછી તરત જ કેવલજ્ઞાન થાય છે, તેથી તે પ્રાતિજજ્ઞાનનો પાત નથી. છતાં અહીં કહ્યું કે સ્વાર્થસંયમથી પ્રતિભજ્ઞાન થાય છે અને તે પ્રાતિજજ્ઞાન સમાધિમાં વિજ્ઞભૂત છે અને વ્યુત્થાનમાં સિદ્ધિરૂપ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રતિભજ્ઞાન તરતમતાની ભૂમિકાવાળું છે, અને પ્રકૃષ્ટ પ્રાતિજજ્ઞાન કેવલજ્ઞાનની પૂર્વે અરુણોદય જેવું થાય છે, અને તે પ્રાતિજજ્ઞાન પછી તરત કેવલજ્ઞાન થાય છે. તે પ્રાતિજજ્ઞાન સમાધિમાં વિજ્ઞભૂત નથી, પરંતુ તે પ્રાતિજજ્ઞાનથી તરત જ વિવેકખ્યાતિરૂપ કેવલજ્ઞાન પ્રગટે છે. જ્યારે પ્રકૃષ્ટ પ્રાતિજજ્ઞાનથી પૂર્વનું પ્રાતિજજ્ઞાન સમાધિમાં વિપ્નભૂત છે અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ છે. હર્ષ-વિસ્મયાદિ થવાને કારણે પ્રાભિજ્ઞાન સમાધિમાં વિનરૂપ અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ : આ વિવેકખાતિરૂપ કેવલજ્ઞાન પૂર્વે વિશિષ્ટ કોટિનું પ્રાભિજ્ઞાન પ્રગટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy