SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦ ૪૫ ज्ञातृज्ञेययोः કૃત્તિ માવઃ, જ્ઞાતા અને જ્ઞેયનો અત્યંત વિરોધ હોવાથી ' જ્ઞાતા એવા પુરુષને જ્ઞેય સ્વીકારી શકાય નહિ, એ પ્રકારે ભાવ છે. ..... તવુક્તમ્ - તે=શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું તે, પાતંજલયોગસૂત્ર-૩/૩૫માં કહેવાયું છે – “સત્ત્વપુરુષયોઃ પુરુષજ્ઞાન” કૃતિ।। અત્યંત અસંકીર્ણ એવા સત્ત્વ અને પુરુષના=બુદ્ધિ અને આત્માના, પ્રત્યયનો અવિશેષથી=પ્રતીતિના અભેદથી, ભોગ છે. પરાર્થથી અન્ય સ્વાર્થમાં=ભોગરૂપ પરાર્થથી અન્ય એવા સ્વાર્થમાં=આત્માના સ્વરૂપમાત્ર આલંબનવાળા પરિત્યક્ત અહંકારવાળા એવા સત્ત્વમાં ચિાયાની સંક્રાંતિરૂપ સ્વાર્થમાં, સંયમ કરવાથી પુરુષવિષયક જ્ઞાન થાય છે.” ***** રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ।।૧૦।। * અહીં રાજમાર્તંડ ટીકા પ્રમાણે આ મુજબ પાતંજલસૂત્ર-૩/૩૫ છે “सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषाद् भोगः परार्थान्यस्वार्थसंयमात्पुरुषज्ञानम्” !13/3|| પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે રાજમાર્તંડ સૂત્ર અને ટીકા મુજબ પ્રસ્તુત શ્લોકની ટીકાનો અર્થ કરેલ છે. ભાવાર્થ: પાતંજલ મત પ્રમાણે યોગનાં ત્રણ માહાત્મ્યો : પતંજલિઋષિએ કહેલાં શ્લોક-૯ સુધીમાં સોળ પ્રકારનાં યોગનાં માહાત્મ્યો બતાવ્યાં. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાત્મ્યો પાતંજલ મત પ્રમાણે બતાવે છે -- (૧૭) પ્રાતિભજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ : - પ્રાતિભજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિત્ થાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરવા અર્થે પ્રાતિભજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે, તે બતાવવા માટે પ્રતિભાનું સ્વરૂપ બતાવે છે - નિમિત્તની અપેક્ષા વગરનું મનોમાત્રજન્ય વિસંવાદ વગરનું શીઘ્ર ઉત્પન્ન થતું જ્ઞાન પ્રતિભા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy