SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ યોગમાહાભ્યાબિંશિકા/શ્લોક-૯ સંયમ કરનાર પુરુષ, સંભાષણ કરે છે, એ પ્રકારનો ભાવ છે. - ક ટીકામાં તૈક્યાયં સંમાથતે પાઠ છે ત્યાં પાતંજલયોગસૂત્ર-૩૩રની રાજમાર્તડ ટીકા મુજબ સંધ્યતે ના સ્થાને સંમતે પાઠ ઉચિત જણાય છે અને તે મુજબ અમે અર્થ કરેલ છે. તકુત્તે - તે શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૩/૩૨માં કહેવાયું છે – “મૂર્ધન્યોતિષ ..... નમ્” || “મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધોનું દર્શન થાય છે”. IIટા. ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે યોગનાં માહાભ્યો - પતંજલિઋષિએ કહેલા શ્લોક-પમાં બે પ્રકારનાં યોગનાં માહાભ્યો બતાવ્યાં, ત્યારપછી શ્લોક-કમાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાત્મો બતાવ્યાં, ત્યારપછી શ્લોક-૭માં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો બતાવ્યાં. ત્યારપછી શ્લોક૭ની ટીકામાં અન્ય એક પ્રકારનું યોગનું માહાભ્ય બતાવ્યું, ત્યારપછી શ્લોક૮માં અન્ય ચાર પ્રકારનાં યોગનાં માહાભ્ય બતાવ્યાં. હવે પ્રસ્તુત શ્લોકમાં અન્ય ત્રણ પ્રકારનાં યોગનાં માહાભ્યો પાતંજલ મત પ્રમાણે બતાવે છે – (૧૪) કંઠકૂપમાં સંયમ કરવાથી સુધા અને તૃષાનો વ્યય : કંઠકૂપમાં-ગળાના ફૂપમાં કૂપના આકાર જેવો જે ખાડો છે તે પ્રદેશમાં, સંયમ કરવાથી યોગીને સુધા અને તૃષા શાંત થાય છે; કેમ કે કંઠકૂપમાં સંયમ કરવાને કારણે ઘંટિકાની નીચે રહેલ જે સ્રોત=પ્રવાહ, તેનું પ્લાવન થવાને કારણે=કંઠ ભીંજાવાને કારણે, તૃપ્તિની સિદ્ધિ થાય છે અર્થાત્ સુધા અને તૃષા શાંત થાય છે. (૧૫) કૂર્મનાડીમાં સંયમ કરવાથી મનઃસ્થર્યની સિદ્ધિઃ કંઠકૂપની નીચે વર્તતી કૂર્મનાડીમાં સંયમ કરવાથી સાધક યોગીમાં અચપળતા થાય છે; કેમ કે કૂર્મનાડીમાં સંયમ કરવાને કારણે મનના ધૈર્યની સિદ્ધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy