SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ યોગમાહાભ્યાબિંશિકા/શ્લોક-૭ સંયમ કરવાથી, અપરાંતનું જ્ઞાન થાય છે=યોગીને પોતાના શરીરનો વિયોગ નિયત દેશમાં અને નિયત કાળમાં થશે, તેવો નિર્ણય થાય છે. વળી અરિષ્ટોથી પણ યોગીને અપરાંત બુદ્ધિ થાય છે. તે અરિષ્ટો ત્રણ પ્રકારનાં છે : (૧) આધ્યાત્મિક, (૨) આધિભૌતિક અને (૩) આધિદૈવિક. (૧) આધ્યાત્મિક અરિષ્ટ - કર્ણનું પિધાન કરવાથી અર્થાત્ કર્ણને ઢાંકવાથી કોક્ય વાયુના ઘોષનું જે અશ્રવણ થાય તે આધ્યાત્મિક અરિષ્ટ છે, અને તેનાથી યોગીને અપરાંત બુદ્ધિ થાય છે. સામાન્યથી કર્ણને હાથથી ઢાંકવામાં આવે ત્યારે કાનમાં કોક્ય વાયુના ઘોષનું શ્રવણ થાય છે, પરંતુ જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે તે રીતે કર્ણને હાથથી ઢાંકવામાં આવે ત્યારે કોક્ય વાયુના ઘોષનું શ્રવણ થતું નથી. તેથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. (૨) આધિભૌતિક અરિષ્ટ :- આકસ્મિક વિકૃત પુરુષનું દર્શન થાય તે આધિભૌતિક અરિષ્ટ છે, અને તેનાથી યોગીને અપરાંત બુદ્ધિ થાય છે. સામાન્યથી સન્મુખ રહેલ પુરુષ જે આકારવાળા હોય તે આકારવાળા દેખાય, પરંતુ ક્યારેક અકસ્માત સન્મુખ રહેલ પુરુષ જે આકારવાળા હોય તેનાથી વિકૃત આકારવાળા દેખાય, તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. (૩) આધિદૈવિક અરિષ્ટ :- અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થનું દર્શન થાય તે આધિદૈવિક અરિષ્ટ છે, અને તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. સામાન્યથી સ્વર્ગાદિ પદાર્થનું દર્શન કોઈને થતું નથી, તેથી સ્વર્ગ કે નરક આદિનું દર્શન અશક્ય છે; આમ છતાં અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થોનું દર્શન થાય છે, તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. અહીં પ્રશ્ન થાય કે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરનાર યોગીને અરિષ્ટો દ્વારા જે અપરાંત બુદ્ધિ થાય છે=મૃત્યુનું જ્ઞાન થાય છે, તેમ જે યોગી નથી, તેઓને પણ ત્રણ પ્રકારના અરિષ્ટોથી મૃત્યુનું જ્ઞાન થાય છે. તે બે વચ્ચેનો ભેદ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy