SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૧-૨-૩-૪ ગ્રંથકારશ્રીએ બતાવ્યો. ક્લેશહાનનો જે ઉપાય છે તે યોગ છે. તેથી ક્લેશતાનના ઉપાયભૂત એવા યોગના માહાભ્યને ગ્રંથકારશ્રી પ્રસ્તુત બત્રીશીમાં બતાવે છે. કોઈને જિજ્ઞાસા થાય કે ક્લેશતાનના ઉપાયભૂત એવા યોગના માહાભ્યને બતાવવાનું શું પ્રયોજન છે ? તેથી કહે છે -- જે પ્રજ્ઞાવાળા પુરુષ છે તેઓ પ્રસ્તુત બત્રીશીમાં બતાવશે તેવા યોગના માહાભ્યને સાંભળીને યોગના પરમાર્થને જાણવા માટે યત્ન કરશે, અને સમ્યગ્બોધ કરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરશે, જેથી યોગના માહાભ્યનું વર્ણન તેવા વિચારક જીવોને યોગમાર્ગની પ્રાપ્તિમાં પ્રબળ કારણ બનશે. તેથી વિચારકની પ્રવૃત્તિમાં ઉપયોગી એવા યોગના માહાભ્યને ગ્રંથકારશ્રી પ્રસ્તુત બત્રીશીમાં બતાવે છે – અવતરાણિકા - શ્લોક-૧થી ૪માં યોગના માહાભ્યને ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : शास्त्रस्योपनिषद्योगो योगो मोक्षस्य वर्तनी । अपायशमनो योगो योगः कल्याणकारणम् ।।१।। અન્વયાર્થ: શાસ્ત્રશ્યશાસ્ત્રનું પનિષત્રહસ્ય-સાર યોગા=યોગ છે, મોક્ષચ=મોક્ષનો વર્તનો માર્ગ યોrt=યોગ છે, અપાવશમનો=અપાયનું શમન યોનો યોગ છેઃ આત્મામાં ક્લેશઆપાદક કષાયોરૂપ અપાયનું શમન યોગ છે, ત્યારV> કલ્યાણનું કારણ યોજા=યોગ છે. ll૧ શ્લોકાર્ચ - શાસ્ત્રનું રહસ્ય યોગ છે, મોક્ષનો માર્ગ યોગ છે, અપાયનું શમન યોગ છે, કલ્યાણનું કારણ યોગ છે. [૧] શ્લોક - संसारवृद्धिर्धनिनां पुत्रदारादिना यथा । शास्त्रेणापि तथा योगं विना हन्त विपश्चिताम् ।।२।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy