________________
યોગમાહાભ્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૭/૧૮ અન્યતાખ્યાતિમાં જ્યારે યોગી સ્થિત થાય છે, ત્યારે સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થાય છે. તેથી ઇન્દ્રિયજય અંતઃકરણજય પ્રત્યે કારણ છે, તેનો અર્થ “કેવલ' શબ્દથી જણાય છે.
અન્યતાખ્યાતિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે -- અન્યતાખ્યાતિનું સ્વરૂપઃસત્ત્વ અને પુરુષ એ બંને જુદા છે, એ પ્રકારનો જે બોધ તે અન્યતાખ્યાતિ છે અર્થાત્ સત્ત્વ=બુદ્ધિ અને પુરુષ એ બેની અન્યતાનો બોધ તે અન્યતાખ્યાતિ છે. યોગીને આ અન્યાખ્યાતિ થવાને કારણે ગુણમાં કર્તુત્વનું અભિમાન હતું તે શિથિલ થાય છે અર્થાત્ બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા જે ભાવો છે, તેમાં પુરુષને કર્તુત્વનું અભિમાન થાય છે; કેમ કે બુદ્ધિથી પોતે અભિન્ન છે તેવો પુરુષને બોધ હોય છે, તેથી બુદ્ધિ જે કરે છે તે હું કરું છું, તેવું પુરુષને અભિમાન થાય છે; અને જ્યારે બુદ્ધિથી પુરુષ એવો હું જુદો છું, તેવું જ્ઞાન થાય છે, ત્યારે અન્યતાખ્યાતિ પ્રગટે છે. તેથી ગુણોના કર્તુત્વનું અભિમાન શિથિલ થાય છે અને શુદ્ધ સાત્વિક પરિણામરૂપ અન્યતાખ્યાતિમાં યોગી સ્થિત થાય છે, જેથી યોગીને યથાવતુ વિવેકવાળું જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞપણું પ્રગટ થાય છે.
સર્વજ્ઞપણું શું છે ? તે બતાવતાં કહે છે – સર્વજ્ઞપણાનું સ્વરૂપ:
સર્વ પદાર્થોમાં ત્રણ ભાવો છે : (૧) શાંત, (૨) ઉદિત અને (૩) અવ્યપદેશ્ય. જે ભૂતકાળના ભાવો છે તે વર્તમાનમાં શાંત છે, વર્તમાનના ભાવો વર્તમાનમાં ઉદિત છે, અને ભવિષ્યમાં થનારા ભાવો વર્તમાનમાં અવ્યપદેશ્ય છે. તેથી ભૂતકાળના વર્તમાનમાં શાંત ભાવો, વર્તમાનના ઉદિત ભાવો, અને ભવિષ્યના વર્તમાનમાં અવ્યપદેશ્યભાવોથી સ્થિત એવા ભૂત-ભાવિ-વર્તમાનના સર્વ પદાર્થોનું યથાર્થજ્ઞાન થાય છે, તે સર્વજ્ઞપણું છે.
વળી અન્યતાખ્યાતિને કારણે સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે, તે સ્પષ્ટ કરે છે –
ગુણપરિણામવાળા એવા સર્વ ભાવોને તે યોગી સ્વામીની જેમ આક્રમણ કરી શકે તેવું અધિષ્ઠાતૃપણું થાય છે. II૧૭ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org