SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ યોગમાહાલ્યદ્વાચિંશિકા/પ્રસ્તાવના હાચિંશદ્વાäિશિકા': “યોગમાહાભ્યદ્વાચિંશિકા - સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાની એક અભુત અમરકૃતિરૂપ આ ‘ધાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, ૫૦૫૦ શ્લોકપ્રમાણ અભુત અર્થગંભીર અને મનનીય “તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની તર્કશક્તિ અને તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ કોઈ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોનાં ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. “વાત્રિશદ્યાત્રિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથોનાં નામાભિધાન ષોડશકપ્રકરણ, અષ્ટકપ્રકરણ, વિંશતિવિશિકા આદિ તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે; તેમ અહીં વિવિધ ૩૨ વિષયોનું નિરૂપણ કરતાં ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા, વિવિધ ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ “કાત્રિશદ્ધાત્રિશિકા' યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ મહાન ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે. “કાત્રિશદ્ધાત્રિશિકા” ગ્રંથનું આ ર૬મું પ્રકરણ “યોગમાહાભ્યદ્વાત્રિશિકા” છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy