SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૬ અહીં પ્રશ્ન થાય કે આત્માને ન સ્વીકારીએ તોપણ મોક્ષ અને મોક્ષના અનુષ્ઠાનો છે તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે – દિ.. શ્વિવિતિ | વંધ્યાસુતના અભાવમાં તર્ગત સુરૂપપણા કે કુરૂપપણા આદિ વિશેષોનું ચિંતવન કરવા માટે કોઈ આરંભ કરતું નથી જ, એથી આત્મારૂપ ધર્મી વગર ધર્મોના વિચારનું અયોગ્યપણું છે, એમ પૂર્વ સાથે સંબંધ છે. list ભાવાર્થ :નૈરાગ્ગદર્શન મોક્ષનો હેતુ છે, એ પ્રમાણે સ્વીકારનાર તર્કવાદી બૌદ્ધના મતનું નિરાકરણ - તર્કવાદી બૌદ્ધો નૈરામ્યદર્શનને મોક્ષનું કારણ સ્વીકારે છે, ત્યાં નૈરાભ્યશબ્દથી અર્થથી બે વિકલ્પો પ્રાપ્ત થાય છે : (૧) આત્માનો અભાવ છે, (૨) આત્મા ક્ષણિક છે. આ બે વિકલ્પોમાંથી કોઈક એક વિકલ્પને ગ્રહણ કરીને આત્માના અભાવનું દર્શન મોક્ષનું કારણ છે તેમ બૌદ્ધો કહી શકે છે. તે સિવાય અન્ય કોઈ વિકલ્પ સંભવતો નથી. તેને દૂષણ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે આ બંને વિકલ્પોમાં નૈરાભ્યનો અયોગ પ્રાપ્ત થાય છે, માટે નૈરામ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી. અહીં પ્રશ્ન થાય કે આત્માનો અભાવ સ્વીકારીએ તો નૈરાભ્યનો અયોગ= નિરાભ્યની અપ્રાપ્તિ, થાય નહિ; કેમ કે નૈરાભ્ય એટલે આત્માનો અભાવ. તેથી અભાવ અને ક્ષણિકત્વરૂપ બંને વિકલ્પોમાં બૈરામ્યનો અયોગ છે તેમ કેમ કહી શકાય ? તે શંકાના નિવારણ માટે આત્માના અભાવપક્ષમાં નૈરાજ્યનો અયોગ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકાર કહે છે –– આત્માના અભાવરૂપ પ્રથમ પક્ષમાં નૈરાન્ચના અયોગની યુક્તિ : જો આત્માનો અભાવ સ્વીકારીએ તો ધર્મી એવા આત્માનો અભાવ છે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy