________________
૧૨૦
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ કારણભાવ સ્વીકારવાનો પ્રસંગ આવે, અને તેમ સ્વીકારવામાં આવે તો નિયતિતત્ત્વના આશ્રયણની આપત્તિ આવે અર્થાત્ ચૈત્રાવલોકિત મૈત્રનિર્મિત ઘટ પ્રત્યે આ પ્રસ્તુત સામગ્રી કારણ છે, અને માણવકાવલોકિત મૈત્રનિર્મિત ઘટ પ્રત્યે આ અન્ય પ્રસ્તુત સામગ્રી કારણ છે, તેમ ભિન્ન ભિન્ન ઘટ પ્રત્યે તે તે સામગ્રી કારણ છે તેમ નિયત કાર્ય-કારણભાવ સ્વીકારવાની આપત્તિ આવે.
વસ્તુતઃ ઘટ સામાન્ય પ્રત્યે દંડાદિ સામગ્રી કારણ છે, અને તેમ સ્વીકારીને ઘટના અર્થીની ઘટની કારણસામગ્રીમાં પ્રવૃત્તિ થાય છે. તેને બદલે ચૈત્રાવલોકિત મૈત્રનિર્મિત તે તે ઘટ પ્રત્યે તે તે કારણસામગ્રી કારણ છે, તેવો વ્યવહાર સ્વીકારવાની આપત્તિ તૈયાયિકને આવે. માટે ચરમદુઃખત્વને તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારી શકાય નહિ, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ll૧૯ll અવતરણિકા :
अन्यमतदूषणेन नियूढं स्वमतमुपन्यस्यनाह - અવતરણિકાર્ચ -
અન્યમતોના દૂષણથી નિર્વાહ પામેલ સ્વમતનો ઉપચાસ કરતા ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ કર્મરૂપ ક્લેશના હાનનો ઉપાય સમ્યગુ જ્ઞાન અને સમ્યગું અનુષ્ઠાન છે તેમ સ્થાપન કર્યું. ત્યાં તત્ત્વજિજ્ઞાસુઓને શંકા થાય કે (૧) જૈનદર્શનકાર ક્લેશનાશનો ઉપાય સમ્ય જ્ઞાન અને સમ્યફ ક્રિયા સ્વીકારે છે, (૨) સર્વથા તર્કવાદી બૌદ્ધદર્શનકાર ક્લેશનાશનો ઉપાય નૈરાભ્યદર્શન સ્વીકારે છે, (૩) પાતંજલદર્શનકાર ક્લેશનાશનો ઉપાય અનુપપ્લવવાળી વિવેકખ્યાતિ સ્વીકારે છે, (૪) વળી તૈયાયિક ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર સ્વીકારે છે, તો ખરેખર ક્લેશનાશનો ઉપાય શું છે? તેથી ગ્રંથકારશ્રીએ અન્ય સર્વમતોનો ઉપવાસ કરીને તેમને દૂષણ આપ્યાં તે સર્વ દૂષણોથી નિર્વાહને પામેલો એવો જૈનમત છે; અર્થાત્ સર્વમતોમાં દૂષણ જણાવવાથી વિચારક એવા તત્ત્વજિજ્ઞાસુને નિર્ણય થાય કે આ જ જૈનદર્શનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org