________________
૬
સદૃષ્વિાત્રિંશિકા/પ્રસ્તાવના
પ્રારંભ પહેલી દૃષ્ટિથી થાય છે અને ઉત્તરોત્તર પ્રકર્ષને પામીને આઠમી દૃષ્ટિમાં પરાકોટીનો હોય છે જેના બળથી યોગી સંસારસાગરથી પાર પામે છે.
યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, અને યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબોધકર એવા સ્વ. પ. પૂ. મોટા પંડિત મહારાજ પૂ. મોજિતવિજયજી મહારાજાએ જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ. પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ. પૂ. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર મારો યત્ન થતો રહ્યો.
મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ ક૨વાનું થયું. તેથી સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિત પ્રવરશ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખન કાર્ય કરી તેની સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં મને ૨ત બનાવી અંતે મને પૂર્ણ બનાવે, તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું.
આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રસંશોધનના કાર્યમાં શ્રુતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સાધ્વીજી દષ્ટિરત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે.
‘દ્વાત્રિંશિકા’ ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વર દેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ‘મિચ્છા મિ દુક્કડં' માંગું છું.
પ્રાંતે આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણમનન-ચિંતન-નિદિધ્યાસનથી હું પણ યોગમાર્ગને પ્રાપ્ત કરી પૂર્ણ બનું, અને સાધક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org