SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ મિશ્રાદ્વાચિંશિકા/શ્લોક-૧૩ કુશળચિત્તથી પ્રેરિત કાયાવડે તેમને કરેલ પ્રણામની ક્રિયા હોય તો તે યોગબીજ બને છે. અહીં પ્રશ્ન થાય કે આચાર્યાદિ ભાવયોગી ન હોય તોપણ આચાર્યપદવી કે ઉપાધ્યાયપદવી મળી હોય કે બાહ્યથી તપસ્યા કરતા હોય, તેઓ પ્રત્યે કુશળચિત્ત થાય અને આ લોક-પરલોકની આશંસા ન હોય તો યોગબીજ સ્વીકારવામાં શું વાંધો છે? તેથી કહે છે – કૂટ એવા આચાર્યાદિમાં અકૂટબુદ્ધિ અસુંદર છે. માટે ગુણરહિત એવા આચાર્યાદિમાં કુશળબુદ્ધિ પણ વાસ્તવિક રીતે કુશળબુદ્ધિ નથી, તેથી તે યોગબીજ બને નહીં. આનાથી એ પ્રાપ્ત થાય કે તત્ત્વનો જિજ્ઞાસુ જીવ ભાવાચાર્યાદિના સ્વરૂપને પોતાની બુદ્ધિ પ્રમાણે જાણવા યત્ન કરતો હોય અને ભાવાચાર્યમાં તે ગુણોનાં બાહ્યલિંગો દેખાતાં હોય તો તે લિંગો દ્વારા આ ભાવાચાર્ય છે એવી બુદ્ધિપૂર્વક આ લોક આદિની આશંસા વિના તેના પ્રત્યે ભક્તિવાળું ચિત્ત હોય, તો તે સંશુદ્ધ કુશળચિત્ત બને. પરંતુ ભાવાચાર્યનાં લિંગોને જોવા માટે કે ભાવાચાર્યને જાણવા માટે કોઈ યત્ન ન હોય, માત્ર “આ આચાર્ય છે' તેવી બુદ્ધિથી તેમની ભક્તિ કરવાનું કુશળચિત્ત કરે, તોપણ તે કુશળચિત્ત યોગબીજ બને નહીં. વળી, કોઈક વ્યક્તિ પરીક્ષક બુદ્ધિથી પોતાના બોધને અનુરૂપ આચાર્યાદિની લિંગો દ્વારા પરીક્ષા કરતી હોય, અને ક્વચિત્ દ્રવ્યાચાર્યમાં ભાવાચાર્યનો ભ્રમ થાય અને તેના કારણે તે દ્રવ્યાચાર્ય પ્રત્યે ભાવાચાર્યની બુદ્ધિ થવાથી ભક્તિ થાય તો તે સંશુદ્ધ કુશળચિત્ત યોગબીજ બની શકે; પરંતુ “આ ભાવાચાર્ય છે કે નહીં' એ પ્રકારની જિજ્ઞાસા ન હોય તેથી તત્ત્વ જાણવા પ્રત્યે ઉપેક્ષા હોય તો કદાચ ભાવાચાર્યમાં કુશળચિત્ત હોય તોપણ યોગબીજ બને નહીં. ૧૩ અવતરણિકા : પૂર્વ શ્લોક-૧૩માં આચાર્યાદિમાં કેવું કુશળચિત્ત યોગબીજ છે તે બતાવ્યું. હવે તે આચાર્યાદિમાં ભક્તિના પરિણામથી પ્રાપ્ત થતાં અન્ય યોગબીજ બતાવે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004681
Book TitleMitra Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy