________________
મિત્રાદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક સંતોનો સમાગમ અવંચક બને છે. આટલો આત્મવિકાસ જણાવી આ દ્વાત્રિશિકાની પૂર્ણાહુતિ થાય છે.
યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી અને યોગમાર્ગમર્મજ્ઞ, યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ.પ.પૂ.મોટા પંડિત મહારાજ મોહજિતવિજયજી મહારાજે જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને ૫. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો.
જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું તેથી સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં તેમની સતત પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે તે ગ્રંથોના વિવેચનના લેખનનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્યતિક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં રત બનાવી અંતે મને પૂર્ણ બનાવે તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું.
આ કાત્રિશિકાના પૂફસંશોધનના કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને કાત્રિશિકા સુવાચ્ય બને તેના માટે શ્રુતોપાસક શ્રાદ્ધવર્ય શ્રી શાંતિભાઈનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે. સહાધ્યાયી જ્ઞાનપિપાસુ પ.પૂ.ચંદનબાળાશ્રીજી મ.નો તથા સા.દષ્ટિ રત્નાશ્રીજીનો અને સા.આર્જવરત્નાશ્રીજીનો સુંદર સહાયક ભાવ પ્રાપ્ત થયો છે.
દ્વાર્કિંશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છબસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું.
પ્રાંતે સ્વઅધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપરઉપકારક બને અને લેખન અનુભવમાં પલટાય કે જેથી હું યોગીનાથ પરમાત્માએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org