SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ઉદય વર્તે છે તેનો અનુભવ થાય છે અને તે અનુભવ સુખાત્મક છે તેથી હું સુખી છું’ એ પ્રકારનો વિકલ્પ અપ્રમત્ત મુનિઓને નથી, તોપણ પોતે સુખનો અનુભવ કરે છે, એ પ્રકારની પ્રતીતિ તો અપ્રમત્ત મુનિઓને છે, તેથી જ્યાં સુખનો અનુભવ હોય ત્યાં સાતાની ઉદીરણા હોય તેવો નિયમ નથી, પરંતુ સુખના અનુભવકાળમાં પ્રમત્ત ગુણસ્થાનક સુધી વર્તતા પ્રમાદથી વ્યંગ્ય એવો પરિણામ હોય ત્યાં સુખની ઉદીરણા હોય, એ પ્રકારનો નિયમ છે. માટે કેવલીને ભુક્તિજન્ય સાતાનો ઉદય હોવા છતાં સાતાની ઉદીરણા નથી; કેમ કે પ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં વર્તતા પ્રમાદનો પરિણામ કેવલીમાં નથી. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે પ્રમત્ત ગુણસ્થાનક સુધીના કોઈપણ જીવો અપ્રમાદભાવથી સ્વભૂમિકા અનુસાર યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય, તે વખતે તેમના મનોયોગ, વચનયોગ કે કાયયોગ મોહના ઉમૂલન માટે પ્રવર્તતા હોય છે, તેથી તે વખતની ભૂમિકામાં તેઓ પ્રમાદી નથી, તોપણ તેઓ અપ્રમત્ત ગુણસ્થાનકમાં પણ નથી, તેથી પ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં વર્તતો અપ્રમાદભાવ હોય કે પ્રમાદભાવ હોય ત્યારે સાતાની કે અસાતાની ઉદીરણા થાય છે. જ્યારે પ્રમત્તગુણસ્થાનકથી આગળ રહેલા અપ્રમત્ત મુનિઓને સાતાની કે અસાતાની ઉદીરણા નથી. જેમ કોઈ શ્રાવક ભગવાનની ભક્તિમાં વિવેકપૂર્વક તલ્લીન હોય તે વખતે તે શ્રાવકના મનોયોગ, વચનયોગ કે કાયયોગનો વ્યાપાર દ્રવ્યસ્તવમાં યત્ન કરીને ભાવસ્તવની શક્તિના સંચયમાં પ્રવર્તતો હોય, અને તેનો ઉપયોગ વીતરાગગામી વર્તતો હોય, અને જો તે શ્રાવકની દ્રવ્યસ્તવની ક્રિયા અમૃતઅનુષ્ઠાનરૂપ હોય તો, સ્વભૂમિકા અનુસાર તે દ્રવ્યસ્તવનું અનુષ્ઠાન તે શ્રાવક અપ્રમાદભાવથી સેવે છે; આમ છતાં ભગવાનની પૂજાના કાળમાં તે શ્રાવકને પોતાના ધનાદિ પ્રત્યે કે કુટુંબાદિ પ્રત્યે ઉપયોગરૂપે સંશ્લેષ નહિ હોવા છતાં ધનાદિ પ્રત્યેનો સંશ્લેષ સંસ્કારરૂપે વર્તે છે, તેથી તે અંશથી શુદ્ધ આત્મભાવમાં જવામાં પ્રમાદ વર્તે છે, તેથી તે શ્રાવક દ્રવ્યસ્તવમાં અપ્રમાદી હોવા છતાં અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા મુનિની જેમ નિર્વિકલ્પ ઉપયોગમાં અપ્રમાદવાળા નથી, તેથી તે શ્રાવકને પૂજાના કાળમાં વેદનીયકર્મની ઉદીરણા થાય છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy