SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ઉG કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૮ વ્યાપાર કરે છે, તે વખતે તેઓને સુખનો અનુભવ છે, તેથી તેઓને સુખની ઉદીરણા માનવાનો પ્રસંગ આવે; અને અપ્રમત્ત મુનિઓને જેમ મનોયોગવ્યાપારથી સુખની ઉદીરણા નથી, તેમ કેવલીને ભક્તિના વ્યાપારથી સુખની ઉદીરણા નથી, તેમ માનવામાં કોઈ વિરોધ નથી. અહીં દિગંબર કહે કે અપ્રમત્ત મુનિને મનોયોગવ્યાપારથી જે સુખ થાય છે, તે જ્ઞાનરૂપ છે માટે તેઓને સુખની ઉદીરણા નથી; અને ભક્તિની ક્રિયાથી જે સુખ થાય છે તે જ્ઞાનરૂપ નથી, પરંતુ સાતાના ઉદયરૂપ છે, માટે કેવલીને ભક્તિના વ્યાપારથી સાતાની ઉદીરણાનો પ્રસંગ આવે; અને અપ્રમત્ત મુનિને મનોવ્યાપારથી થતું સુખ સાતારૂપ નહિ હોવાથી સુખની ઉદીરણાનો પ્રસંગ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો મનોયોગથી થતું અપ્રમત્ત મુનિનું સુખ જ્ઞાનરૂપ સ્વીકારવામાં આવે તો આહારાદિ ગ્રહણથી થતું સાતવેદનીયરૂપ સુખાંતર પણ જ્ઞાનરૂપ માનવાનો પ્રસંગ છે; કેમ કે આહારથી સુધાના શમનને કારણે જે સુખનું વેદન થાય છે, તે જ્ઞાનથી જ વેદ્ય છે. તેથી જેમ અપ્રમત્ત મુનિને મનથી સુખનું વેદના થાય છે, તે જ્ઞાનરૂપ છે, તેમ ભુક્તિ આદિના વ્યાપારથી થતું સુખ પણ જ્ઞાનથી વેદ્ય છે. માટે ભુક્તિ આદિના વ્યાપારથી વેદ્ય એવું સુખ જ્ઞાનરૂપ હોવા છતાં સાતાની ઉદીરણા ભક્તિથી થાય છે, એમ સ્વીકારવામાં આવે તો, અપ્રમત્ત મુનિને મનોયોગના વ્યાપારથી થતા સુખની ઉદીરણા પણ સ્વીકારવાની આપત્તિ આવે. અહીં દિગંબર કહે કે મનોયોગના વ્યાપારથી અપ્રમત્ત મુનિને સુખનો અનુભવ નથી, પરંતુ સાતાની સામગ્રીથી સુખનો અનુભવ થાય છે. તેથી જેઓ અનુકૂળ આહારાદિ ગ્રહણ કરે છે, તેઓને “હું સુખી છું તેવી પ્રતીતિ થાય છે, માટે ભુક્તિની ક્રિયાથી સુખની ઉદીરણા થશે. જ્યારે અપ્રમત્ત મુનિને તો મનોયોગના વ્યાપારથી નિર્વિકલ્પ ઉપયોગ વર્તે છે, તેથી તેઓને સુખની ઉદીરણા થાય નહિ. તેથી ગ્રંથકારશ્રી કહે છે – હું સુખી છું’ એ પ્રકારનો અનુભવ અપ્રમત્ત મુનિઓને પણ અક્ષત છે. આશય એ છે કે અપ્રમત્ત મુનિઓ નિર્વિકલ્પ ઉપયોગમાં વર્તતા હોય ત્યારે મોહના કલ્લોલો તેમને હોતા નથી, પરંતુ શાંતરસનો અનુભવ હોય છે, અને તે વખતે અસાતાનું કોઈ નિમિત્ત ન હોય તો અપ્રમત્ત મુનિને પણ સાતાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy