SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૧૮ ઉદીરણા કેમ થતી નથી ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ઉદીરણાકરણ એ આન્તરશક્તિવિશેષસ્વરૂપ છે અર્થાત્ જીવમાં કોઈક પ્રકારનો પરિણામવિશેષ છે. જેમ પરિણામવિશેષથી બંધનકરણ આદિ કાર્યો થાય છે, તેમ કોઈક પ્રકારના પરિણામવિશેષથી સત્તામાં રહેલા કર્મોની ઉદીરણા પણ થાય છે; અને વેદનીયકર્મના વિષયમાં જે ઉદીરણાકરણનો પરિણામ છે, તે પ્રમાદથી વ્યંગ્ય છે અર્થાત્ પ્રમત્તગુણસ્થાનક સુધી જીવમાં પ્રમાદનો પરિણામ છે, અને તે પ્રમાદના પરિણામને કારણે વેદનીયકર્મની ઉદીરણા અભિવ્યક્ત થાય છે. તેનું સ્વરૂપ નહિ જાણનાર એવો દિગંબર બહિર્યોગમાત્રવ્યાપારવિષયક સ્કૂલ બુદ્ધિથી વિચારીને કહે છે કે કેવલીને ભક્તિ સ્વીકારવાથી માતાની ઉત્પત્તિ થશે અને તેના કારણે સાતાની ઉદીરણા થશે. આશય એ છે કે કેવલી ભોજનની ક્રિયા કરે છે, તે બાહ્યયોગના વ્યાપારને જોઈને દિગંબર કહે છે કે આહારગ્રહણની ક્રિયા સુધાના શમનનું કારણ હોવાથી તે આહારગ્રહણની ક્રિયાથી સાતાની પ્રાપ્તિ થશે, અને સાતાની પ્રાપ્તિથી કેવલીને સાતાની ઉદીરણા થશે. વસ્તુતઃ સાતાનો ઉદય થાય એટલામાત્રથી સાતાની ઉદીરણા થાય, એવો નિયમ નથી; પરંતુ સાતાના ઉદયકાળમાં પ્રમત્તગુણસ્થાનક સુધીનો પ્રસાદ વર્તતો હોય તો તે પ્રમાદથી સાતાની ઉદીરણા થાય. આથી જ સંસારી જીવોને ભક્તિથી સાતાનો ઉદય થાય છે, તેમ સાતાની ઉદીરણા પણ થાય છે; પરંતુ અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા મુનિઓને કે કવલીને પ્રમાદનો પરિણામ લેશ પણ નથી, તેથી ભુક્તિના વ્યાપારથી સાતાનો ઉદય થવા છતાં સાતાની ઉદીરણા નથી. વળી તેની પુષ્ટિ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – યોગવ્યાપારમાત્રનું ઉદીરણાનું આક્ષેપકપણું સ્વીકારવામાં આવે તો મનોયોગથી પણ અપ્રમત્ત મુનિમાં સુખની ઉદીરણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. આશય એ છે કે કેવલી ભોજનની ક્રિયા કરે છે, તેથી તે ભોજનની ક્રિયાથી જેમ સાતાનો ઉદય થાય છે, તેમ સાતાની ઉદીરણા પણ થાય છે, એમ સ્વીકારવામાં આવે તો, અપ્રમત્ત મુનિઓને મનોયોગના વ્યાપારથી પણ સુખની ઉદીરણાનો પ્રસંગ આવે; કેમ કે અપ્રમત્ત મુનિઓ ધ્યાનકાળમાં મનોયોગનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy