SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૭-૧૮ ભાવાર્થ :સાતાવેદનીયની અનુદીરણા હોવાને કારણે કેવલી કવલભોજન કરતા નથી, એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : શ્લોક-૩માં દિગંબરે કહેલ કે કેવલીને કવલભોજન સ્વીકારવામાં આવે તો ભોજનથી સાતાનો ઉદય થાય છે, અને ભક્તિને કારણે સાતાનો ઉદય સ્વીકારવામાં આવે તો સાતાની ઉદીરણાની પણ પ્રાપ્તિ થાય, અને કેવલીને સાતાની ઉદીરણા શાસ્ત્રકાર સ્વીકારતા નથી, એ વાત દિગંબર અને શ્વેતાંબર ઉભયને સંમત છે. માટે કેવલી કવલભોજન કરતા નથી, તેમ શ્વેતાંબરોએ માનવું જોઈએ; આ પ્રકારના દિગંબરના કથનને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે – જો ભોજનને કારણે સાતાની ઉત્પત્તિ થાય છે માટે કેવલીને સાતાની ઉદીરણા છે, એ પ્રમાણે દિગંબર આપાદન કરે, તો કેવલીને દેશનાથી અસતાવેદનીયનો ઉદય થાય છે. તેથી કેવલીને અસતાવેદનીયની ઉદીરણાને પણ સ્વીકારવાની દિગંબરને આપત્તિ આવે; કેમ કે દેશનાથી પરિશ્રમરૂપ દુઃખનો સંભવ છે, તેથી દેશનાથી દુઃખની ઉદીરણા પણ થાય છે, તેમ દિગંબરને માનવું પડે; કેમ કે જેમ ભક્તિના વ્યાપારથી સાતાના ઉદયને કારણે સાતાની ઉદીરણાનું દિગંબર દ્વારા આપાદન છે, તેમ દેશનાથી અસાતાના ઉદયને કારણે અસાતાની ઉદીરણાની આપત્તિ દિગંબરને છે. અહીં દિગંબર કહે કે કેવલી દેશના આપે છે, તે પ્રયત્નથી આપતા નથી, પરંતુ કેવલીના મસ્તકમાંથી ધ્વનિ નીકળે છે. માટે કેવલીને દેશનામાં પરિશ્રમરૂપ દુઃખ નથી, માટે અસાતાની ઉદીરણા નથી, અને કેવલીને ભક્તિના સ્વીકારમાં સાતાની ઉત્પત્તિ છે માટે સાતાની ઉદીરણાની આપત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - દેશના પ્રયત્નજન્ય છે, એ પ્રમાણે અમે શ્લોક-૧૬માં વ્યવસ્થાપન કરેલું છે. માટે કેવલીને દેશનામાં પરિશ્રમજન્ય દુઃખ છે, તેથી દિગંબરને કેવલીમાં અસાતાની ઉદીરણા સ્વીકારવાની આપત્તિ છે. ll૧૭ના અવતરણિકા :सुहृद्भावेन समाधत्ते - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy