SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પડે કેવલિભુતિવ્યવસ્થાપનદ્વાચિંશિકા/શ્લોક-૧૬ શબ્દમાત્રમાંકવાગ્યોગની અપેક્ષાવાળા શબ્દમાત્રમાં, પુરુષના પ્રયત્નના અનુસરણનું ધ્રુવપણું હોવાથી યત્ન વગર ભગવાનની દેશના નથી, એમ સંબંધ છે. અન્યથા .. રશિશ્વિત | અન્યથા પુરુષના પ્રયત્ન વગર ભગવાનની ધ્વનિરૂપ દેશના છે તેમ સ્વીકારવામાં આવે તો, આગમને અપૌરુષેય કહેતા મીમાંસકની દુર્જયપણાની આપત્તિ હોવાથી, પુરુષના પ્રયત્નથી ધ્વનિરૂપ ભગવાનની દેશના છે, એમ સ્વીકારવું પડે; અને પુરુષના પ્રયત્નથી ધ્વનિરૂપ દેશના સ્વીકારવામાં આવે તો, જેમ પ્રયત્નથી ભગવાનની દેશના છતાં મોહ નથી, તેમ પ્રયત્નથી કેવલીની ભક્તિ છે છતાં મોહ નથી, એમ સ્વીકારી શકાય, એ પ્રકારે અર્થથી પ્રાપ્ત છે. તિ=એથી, આ દિગંબર કહે છે કે કેવલીને મોહ નથી માટે ભક્તિ નથી એ, કથન અર્થ વગરનું છે. ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે ભગવાનની દેશના ધ્વનિરૂપ સ્વીકારી શકાય નહિ, અને કદાચ ધ્વનિરૂપ સ્વીકારીએ તોપણ પુરુષના યત્ન વગર સ્વીકારી શકાય નહિ. જો પુરુષના પ્રયત્ન વગર દેશનાને સ્વીકારીએ તો આગમ અપૌરુષેય છે, તેમ માનનાર મીમાંસકમત વિજય પામે. તેથી તીર્થકરને દેશના અને ભક્તિ બંને પ્રયત્નજન્ય સ્વીકારવામાં બાધ નથી. ત્યાં દિગંબર તેનું યુક્તિથી નિરાકરણ નહિ કરી શકવાથી સુદુર્ભાવથી શ્વેતાંબરને પૃચ્છા કરતાં કહે છે – ટીકાર્ચ - મથ .... પૃછામ – ૩થ થી દિગંબર કહે છે કે ભાવથી-મિત્રભાવથી, અમે તમને શ્વેતાંબરને, પૂછીએ છીએ – વૃદ્ધિપૂર્વવ .... તિ વે, બુદ્ધિપૂર્વક પ્રવૃત્તિમાં, ઈચ્છાનું હેતુપણું હોવાથી કેવલીને દેશનાદિ અને આહારાદિમાં પ્રવૃત્તિ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – સુહમાવેજ ઝૂમ: - સુહભાવથી મિત્રભાવથી, અમે તમને=દિગંબરને, કહીએ છીએ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy