SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/બ્લોક-૧૬ અવતરણિકાર્ય : ઇચ્છાનો અભાવ હોવાથી=કેવલીને ઇચ્છાનો અભાવ હોવાથી, ભગવાનની દેશનાની પ્રવૃત્તિ નથી જ, અને સ્વભાવથી જ તેમની=ભગવાનની, નિયત દેશકાળવાળી દેશના છે, એ પ્રકારની ઇષ્ટાપત્તિ હોતે છતે=એ પ્રકારની દિગંબરો તરફથી ઇષ્ટાપત્તિ સ્વીકારાયે છતે, ગ્રંથકારશ્રી કહે છે અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૧૫માં ગ્રંથકારશ્રીએ દિગંબરને આપત્તિ આપી કે બુદ્ધિપૂર્વક પરદ્રવ્યની પ્રવૃત્તિ મોહજન્ય છે, તેમ સ્વીકારવામાં આવે તો, તીર્થંકરોની દેશનાદિની પ્રવૃત્તિ પણ મોહજન્ય સ્વીકારવાની દિગંબરને આપત્તિ આવશે. ત્યાં દિગંબર કહે છે શ્લોક ઃ તીર્થંકરોને કેવલી અવસ્થામાં ઇચ્છાનો અભાવ છે, તેથી તેઓ દેશનાની પ્રવૃત્તિ કરતા નથી જ; ફક્ત તીર્થંકરનામકર્મના ઉદયને કારણે તેઓની નિયત દેશમાં અને નિયત કાળમાં સ્વભાવથી જ દેશના છે અર્થાત્ દેશનાની પ્રવૃત્તિ નથી, પરંતુ મસ્તકમાંથી ધ્વનિરૂપે નીકળતી દેશના છે, એથી દેશનાદિની પ્રવૃત્તિને મોહજન્ય સ્વીકારવામાં અમને=દિગંબરને, ઇષ્ટાપત્તિ છે, તેથી જેઓ વચનપ્રયોગરૂપ દેશના આપે છે, તે સર્વ મોહજન્ય છે; અને તીર્થંકરોની યત્ન વગર સ્વભાવથી દેશના છે માટે મોહજન્ય નથી. એ પ્રકારના દિગંબરના આશયને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે — -- Jain Education International ૪૯ यत्नं विना निसर्गाच्चेद्देशनादिकमिष्यते । भुक्त्यादिकं तथैव स्याद् दृष्टबाधा समोभयोः । । १६ ।। અન્વયાર્થ : યત્ન વિના=યત્ન વગર નિસર્પા=નિસર્ગથી ચે=જો વેશનાવિમ્ દૃષ્યતે= દેશનાદિ ઇચ્છાય છે તો તથૈવતે પ્રકારે જ મુન્ત્યા=િભુક્તિ આદિ સ્વાર્=થાય. ૩મો:=ઉભયમાં અર્થાત્ દેશનાદિ અને ભુસ્ત્યાદિ ઉભયમાં, દૃષ્ટવાયા=દુષ્ટબાધા સમા=સમાન છે. ।।૧૬।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy