SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા/શ્લોક-૧૩ અસાતાનો અનુપક્ષય હોવાથી અસાતાને દગ્ધરજુ સમાન કહેનાર દિગંબરોના કથનનું નિરાકરણ : અહીં દિગંબરો કહે કે સાતાવેદનીયકર્મ તીર્થકરોને પ્રબળ વિપાકમાં હોય છે, તેથી વેદનીયસામાન્યને દગ્દરજ્જુ જેવું અમે સ્વીકારીશું નહિ, પરંતુ અસાતવેદનીયને દશ્વરજૂ જેવું અર્મ સ્વીકારીશું; અને સુધા અસતાવેદનીયથી લાગે છે, માટે કેવલીને દગ્દરજ્જુ સમાન અસાતાવેદનીય હોવાને કારણે ક્ષુધા નથી, માટે કેવલી કવલભોજન કરતા નથી, એમ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે - કેવલીને અસતાવેદનીયકર્મનો ક્ષય થયો નથી, એમ શાસ્ત્રવચનથી નક્કી થાય છે, અને કેવલીને અસતાવેદનીયનો ઉદય હોય તો તેનાથી ક્ષુધા લાગે છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધા નથી. માટે અસાતવેદનીયને દગ્ધરજ્જુ સમાન સ્વીકારીને કેવલી કવલભોજન કરતા નથી, તેમ સ્થાપન કરવું અનુચિત છે. કેવલીભગવાનમાં પાપપ્રકૃતિઓનો રસઘાત હોવાને કારણે નિરસ એવા અસાતાવેદનીયથી કેવલીને સુધા લાગે નહિ, તેથી કેવલી કવલભોજન કરતા નથી એ પ્રકારના દિગંબરના કથનનું નિરાકરણ : અહીં દિગંબરો કહે કે પાપપ્રકૃતિઓનો ભગવાનમાં રસઘાત હોવાને કારણે કેવલીભગવંતને નિરસ એવા અસાતવેદનીયનો ઉદય છે. તેથી રસ વગરની એવી અસાતાની પ્રકૃતિથી કેવલીને સુધા લાગી શકે નહિ, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – જો કેવલીને પાપપ્રકૃતિઓનો ક્ષપકશ્રેણીમાં રસઘાત થયેલો હોવાથી પાપપ્રકૃતિઓ નિરસ છે, તેમ સ્વીકારવામાં આવે, તો કેવલીને ક્ષપકશ્રેણીમાં સ્થિતિઘાત થયેલો હોવાથી પાપપ્રકૃતિઓ નિઃસ્થિતિક છે, તેમ સ્વીકારવાની આપત્તિ આવે. વસ્તુતઃ કેવલીને પોતાના આયુષ્ય સુધી કે તેથી અધિક સ્થિતિવાળી પ્રકૃતિઓ શાસ્ત્રસિદ્ધ છે. તેથી જેમ કેવલીને નિઃસ્થિતિક પાપપ્રકૃતિઓ નથી, તેમ કેવલીને નિરસ પણ પાપપ્રકૃતિઓ નથી, અને સરસ એવા અસાતાવેદનીયથી કેવલીને સુધા લાગે છે, માટે કેવલી કવલભોજન કરે છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy