SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૧૩ * અસાતાજેનીયસ્થાપિ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે કેવલીની પુણ્યપ્રકૃતિઓની તો દરજ્જુસમપણાની અસિદ્ધિ છે, પરંતુ અસાતાવેદનીયની પણ દગ્ધરજ્જુસમપણાની અસિદ્ધિ છે. * સ્થિતિઘાતેન નિ:સ્થિતિવસ્થાપ્યાપત્ત, અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે કેવલીને પાપપ્રકૃતિના રસધાત દ્વારા નીરસપણાની તો પ્રાપ્તિ થાય, પરંતુ સ્થિતિઘાત દ્વારા નિઃસ્થિતિકપણાની પણ પ્રાપ્તિ થાય. * અપૂર્વ રળાવો અહીં આવિ થી અનિવૃત્તિકરણાદિ નવમા વગેરે ગુણસ્થાનકનું ગ્રહણ કરવું. * સ્થિતિશેષાદ્યવેક્ષ અહીં સ્થિતિશેષાદ્દિ માં આવિ થી ઘાતીપ્રકૃતિઓના સાંનિધ્યના અભાવને કારણે અઘાતીપ્રકૃતિઓના ધાતીતુલ્યપણાના અભાવનું ગ્રહણ કરવું. * અસાતાવિપ્રવૃતીનામ્ અહીં અસાવિ માં દ્દિ થી ભવોપગ્રાહી અન્ય પાપપ્રકૃતિઓનું ગ્રહણ કરવું. ભાવાર્થ : દિગંબરો કેવલીને ભુક્તિ સ્વીકારતા નથી, તેમાં યુક્તિ આપે છે કે કેવલીને વેદનીયકર્મ દગ્ધરજ્જુ જેવું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – દિગંબરો સિદ્ધાંતની મર્યાદાને જાણતા નથી, તેથી વેદનીયકર્મને દગ્દરજ્જુ જેવું કહીને કેવલીને ભુક્તિ નથી, તેમ કહે છે. પુણ્યપ્રકૃતિઓનું તીવ્ર વિપાકપણું હોવાથી વેદનીયકર્મમાત્રને દગ્ધરજ્જુ સમાન કહેનાર દિગંબરોને સિદ્ધાંતની મર્યાદાના જ્ઞાનનો અભાવ :દિગંબરો સિદ્ધાંતના રહસ્યને કેમ જાણતા નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે ―― તીર્થંકરનામાદિરૂપ પુણ્યપ્રકૃતિઓ તીવ્ર વિપાકવાળી છે. તેથી તીવ્ર વિપાકજન્ય સાતાનું પ્રબળપણું તીર્થંકરોમાં હોય છે. તેથી વેદનીયકર્મમાત્રને=સાતા, અસાતા ઉભયરૂપ વેદનીયકર્મને, દશ્વરજ્જુ સમાન કહી શકાય નહિ. આમ છતાં વેદનીયકર્મ દગ્દરજ્જુ સમાન છે, તેમ દિગંબરો કહે છે, એ જ બતાવે છે કે તેઓને સિદ્ધાંતની મર્યાદાનું જ્ઞાન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy