SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/શ્લોક-૧૩ વચન ન સ્વીકારવામાં આવે અને રસની અપેક્ષાએ દગ્ધરજુકલ્પપણાનું આવશ્યકતૃત્યાદિનું વચન સ્વીકારવામાં આવે તો, સૂત્રકૃવૃત્તિના વિરોધનો પ્રસંગ છે=સૂયગડાંગસૂત્રની ટીકાના વિરોધનો પ્રસંગ છે. અહીં દિગંબર કહે કે આવશ્યકનિયુક્તિ આદિમાં તીર્થકરને અસાતાદિ પ્રકૃતિઓ પણ અદુઃખને આપનારી છે, એમ કહેલું છે. તેથી પણ ફલિત થાય છે કે સુધાને કરનાર અસાતાની પ્રકૃતિ કેવલીને દુઃખ આપનારી નથી, માટે દગ્દરજ્જુ જેવી છે. તેથી કેવલીને સુધાનું દુ:ખ નથી, તેમ સ્વીકારવું જોઈએ. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – માતા િ... વિવેક્ષ, આવશ્યકલિથુક્તિ વગેરેમાં અસાતાદિ પ્રકૃતિઓના અદુઃખદપણાનું અભિધાન પણ તીર્થકરને આશ્રયીને અસાતાદિ પ્રકૃતિઓના અદુ:ખદપણાનું અભિવાત પણ, ઘાતિકર્મક્ષયજન્ય બહુતર અસુખનો વિલય થવાને કારણે અલ્પની=અલ્પ એવા સુધાના દુઃખતી, અવિવેક્ષા હોવાથી અસાતાદિ પ્રકૃતિને અદુઃખદ કહેલ છે. વસ્તુતઃ કેવલીને સુધાદિજન્ય અલ્પ અસુખ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, એમ સંબંધ છે. અહીં પૂર્વપક્ષી કહે કે સુધાને ઉત્પન્ન કરનાર અસતાવેદનીય તીર્થકરને અલ્પ વેદન કરાવે છે, તેમ સ્વીકારવામાં પ્રમાણ શું ? અર્થાત્ કોઈ પ્રમાણ નથી. તેથી કેવલીને અસાતાજન્ય દુઃખ નથી, તેવો અર્થ આવશ્યકનિર્યુક્તિ વગેરેના વચનનો કરવો જોઈએ, કે જેથી કેવલીને ભક્તિ નથી, તેનો સ્વીકાર થઈ શકે. તેના નિરાકરણ માટે અન્ય હેતુ કહે છે -- અન્યથા ..... સુમિ | અન્યથા કેવલીને ભવોપગ્રાહી એવા અસાતાવેદનીયાદિ કર્મો અલ્પ પણ અસર કરતા ન હોય તો, ભવોપગ્રહો અયોગ હોવાથી કેવલીના અસાતાદિ કર્મોમાં ભવોપગ્રહનો અયોગ હોવાથી, કેવલીને ભવના અભાવની પ્રાપ્તિનો પ્રસંગ આવે, એમ સંબંધ છે. એ પ્રકારે શ્લોકમાં અને ટીકામાં અત્યાર સુધી સ્પષ્ટ કર્યું કે કેવલીને અસાતા વેદનીયજન્ય સુધા છે, એ પ્રકારે, બુદ્ધિમાનોએ વિચારવું જોઈએ. ll૧૩માં જ તીર્થરનામરૂપાળાં અહીં ૩ર થી સાતાવેદનીયાદિ અન્ય પુણ્યપ્રકૃતિઓનું ગ્રહણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy