SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 33. કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/બ્લોક-૧૩ અહીં દિગંબરો કહે છે કે ક્ષપકશ્રેણિકાળમાં યોગી પાપપ્રકૃતિઓનો રસઘાત કરે છે. તેથી કેવલીને પાપપ્રકૃતિઓનો રસઘાત હોવાને કારણે નિરસ એવી પાપપ્રકૃતિથી ક્ષુધા ઉત્પન્ન થઈ શકે નહિ, માટે કેવલી ભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – પાપપ્રકૃતીનાં ..... માપ, પાપપ્રકૃતિઓનું ભગવાનમાં રસઘાત દ્વારા વીરપણું સ્વીકારાયે છતે સ્થિતિઘાત દ્વારા પાપપ્રકૃતિની નિસ્થિતિકપણાની પણ આપત્તિ હોવાથી કેવલીની પાપપ્રકૃતિ નીરસ છે, તેમ સ્વીકારી શકાય નહિ. માટે પાપપ્રકૃતિના ઉદયથી કેવલીને સુધા લાગે છે, તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, એમ સંબંધ છે. અહીં પૂર્વપક્ષી કહે કે અપૂર્વકરણાદિમાં પાપપ્રકૃતિઓનો રસઘાત અને સ્થિતિઘાત થાય છે. તેથી કેવલીને સુધાજનક એવી પાપપ્રકૃતિ નીરસ હોવાથી દગ્દરજ્જુ જેવી છે, તેમ સ્વીકારી શકાશે. તેથી ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે - અપૂર્વવરાહો.... વ્યવસ્થિતૈઃ અપૂર્વકરણાદિમાં બધ્યમાનપ્રકૃતિવિષયક જ પાપપ્રકૃતિના તેની વિરતપણાની અને નિઃસ્થિતિકપણાની વ્યવસ્થિતિ હોવાથી બધ્યમાન સિવાયની પૂર્વબદ્ધ પાપપ્રકૃતિઓ કેવલીને પણ તિરસ નથી અને બિસ્થિતિક નથી. તેથી સુધાવેદનીયરૂપ પાપપ્રકૃતિથી કેવલીને સુધા સ્વીકારવામાં કોઈ દોષ નથી, એમ સંબંધ છે. આ રીતે શ્લોકના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે કેવલીની પુણ્યપ્રકૃતિ કે અસાતાના ઉદયનું કારણ એવું વેદનીયકર્મ દગ્ધરજુ જેવું નથી, તેથી કેવલીને સુધા સ્વીકારવામાં કોઈ બાધ નથી. ત્યાં નનુથી શંકા કરતાં પૂર્વપક્ષી–દિગંબર કહે છે – નનું ...... ૬ - તો કેવલીના ભવોપગ્રાહીકર્મોનું દિગ્દરજજુકલ્પપણાનું અભિધાન આવશ્યકતૃત્યાદિમાં કેમ સંભળાય છે? એથી શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – સ્થિતિશેષાદ્યપેક્ષ . પ્રસાત્િ, અથવા સ્થિતિશેષાદિની અપેક્ષાવાળું તે વચન વ્યવસ્થિત છે=દગ્ધરજુકલ્પપણાનું આવશ્યકવૃત્તિ આદિનું વચન વ્યવસ્થિત છે, પરંતુ રસઅપેક્ષાએ દગ્ધરજુકલ્પપણાનું વચન વ્યવસ્થિત તથી; કેમ કે અન્યથા=સ્થિતિશેષાદિની અપેક્ષાએ દગ્દરજ્જકલ્પપણાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy