SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિશિકા/શ્લોક-૧૩ અપૂર્વકરણાદિમાં સ્થિતિઘાત અને રસઘાત દ્વારા પાપપ્રકૃતિઓ નિરસ થાય છે, તેથી નિરસ એવા અસાતાવેદનીયથી કેવલીને સુધા લાગે નહિ. તેથી કેવલી કવલભોજન કરતા નથી. એ પ્રકારના દિગંબરોના કથનનું નિરાકરણ - અહીં દિગંબરો કહે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે કેવલી ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે, અપૂર્વકરણાદિમાં પાપપ્રકૃતિઓનો સ્થિતિઘાત અને રસઘાત કરે છે, અને અંતે પાપપ્રકૃતિઓ નિરસ થાય છે, તેથી કેવલીને પાપપ્રકૃતિઓ રસ વગરની છે, તેથી રસ વગરના અસતાવેદનીયથી કેવલીને ક્ષુધા લાગી શકે નહિ, માટે કેવલી કવલભોજન કરતા નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ક્ષપકશ્રેણી વખતે અપૂર્વકરણાદિ ગુણસ્થાનકોમાં બધ્યમાનપ્રકૃતિવિષયક જ નિરસ અને નિઃસ્થિતિકપણાની વ્યવસ્થિતિ છે અર્થાત્ ક્ષપકશ્રેણીવાળા યોગીઓ સત્તામાં રહેલી પાપપ્રકૃતિઓનો રસઘાત અને સ્થિતિઘાત કરે છે, તો પણ કેવલજ્ઞાન વખતે વિદ્યમાન પાપપ્રકૃતિઓ નિરસ અને નિઃસ્થિતિક હોતી નથી, પરંતુ અપૂર્વકરણાદિ ગુણસ્થાનકમાં યોગી તદ્દન અસંગભાવના પરિણામવાળા હોવાથી બંધાતી પ્રકૃતિઓમાં રસ અને સ્થિતિ બંધાતી નથી. તેથી જે પ્રકૃતિઓ અપૂર્વકરણાદિ ગુણસ્થાનકમાં બંધાય છે, તે નિરસ અને નિઃસ્થિતક છે, તોપણ પૂર્વબદ્ધ એવી પાપપ્રકૃતિઓ પૂર્વના બંધાયેલા રસવાળી હોવાથી રસઘાત દ્વારા અલ્પરસવાળી થયેલી હોવા છતાં સંપૂર્ણ નિરસ નથી, અને પૂર્વની બંધાયેલી પાપપ્રકૃતિઓ સ્થિતિઘાત દ્વારા અલ્પસ્થિતિવાળી થવા છતાં સર્વથા સ્થિતિ વગરની=એક સમયની સ્થિતિવાળી નથી, પરંતુ કેવલીના ભવના અંત સુધી સ્થિતિ રહે તેટલી કે તેથી અધિક સ્થિતિવાળી હોય છે. આથી જ કેવલીને પોતાના ભવના અંત સુધી કે તેથી વધુ રહે તેવી રસવાળી અને સ્થિતિવાળી પાપપ્રકૃતિઓ વિદ્યમાન છે, અને તે પાપપ્રકૃતિઓ ક્ષપકશ્રેણી પૂર્વે બંધાયેલા રસને અનુસાર ફળ આપે તેવા સામર્થ્યવાળી છે. તેથી કેવલીને અસતાવેદનીયરૂપ પાપપ્રકૃતિથી સુધા લાગે છે, માટે કેવલી કવલભોજન કરે છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. શ્લોકના પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે વેદનીયકર્મને દગ્ધર સમાન કહેનાર દિગંબરો સિદ્ધાંતની મર્યાદાને જાણતા નથી, આથી જ ભવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy