SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ભાવાર્થ : (૨) કેવલી કૃતકૃત્ય હોવા છતાં ભુક્તિને સ્વીકારવામાં વિરોધનો અભાવ :ઘાતિકર્મના ક્ષયથી કેવલી કૃતકૃત્ય છે, પરંતુ ભવોપગ્રાહિકર્મના ક્ષયની અપેક્ષાએ કેવલી કૃતકૃત્ય નથી, સિદ્ધભગવંતો જ કૃતકૃત્ય છે. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/મ્લોક-૯ “પોતાને જે કૃત્ય કરવા જેવાં હોય તે જેમણે સંપૂર્ણ કરી લીધાં હોય તે કૃતકૃત્ય કહેવાય.’’ જ્યાં સુધી સાધક આત્મા મોહનો જય કરી શકતો નથી, ત્યાં સુધી તેને મોહના જયની ઇચ્છા વર્તે છે. તેથી દસમા ગુણસ્થાનક સુધી ‘મારે મોહને જીતવો છે,’ એ પ્રકારની કૃત્ય ક૨વાની ઇચ્છા સૂક્ષ્મ પણ વર્તે છે; અને સંપૂર્ણ મોહનો ક્ષય થઈ ગયો હોય અને તેના કારણે ઘાતિકર્મનો ક્ષય થઈ જાય, ત્યારપછી કેવલીને, ‘મારે કોઈ કૃત્ય કરવાં છે,’ તેવી ઇચ્છા નથી; પરંતુ મોક્ષ અને સંસાર સર્વ પ્રત્યે સમભાવવાળા છે. તેથી કેવલીભગવંતો ઘાતિકર્મના ક્ષયથી કૃતકૃત્ય છે. વળી કેવલીભગવંતને મોક્ષમાં જવાની ઇચ્છા પણ નથી અને સંસારમાં રહેવાની ઇચ્છા પણ નથી. તેથી ઉપાદેય એવા મોક્ષની કેવલીને ઉપાદિત્સા નથી; તોપણ ઉપાદેય એવા મોક્ષની સયોગીકેવલીને અસિદ્ધિ છે, તે અપેક્ષાએ કેવલીભગવંત કૃતકૃત્ય નથી; પરંતુ સિદ્ધઅવસ્થાને પામશે ત્યારે સર્વ કૃત્યો તેમણે કરી લીધાં છે, માટે કૃતકૃત્ય થશે તેમ કહી શકાય. તેથી કેવલીભગવંતને રાગાદિના અભાવમાત્રથી કૃતકૃત્ય છે, સર્વ કર્મક્ષયથી કૃતકૃત્ય નથી; માટે ભવોપગ્રાહિકર્મના કારણે વેદનીયકર્મના ઉદયજન્ય ક્ષુધા કેવલીને લાગે છે, અને તેના કારણે કેવલી કવલભોજન કરે છે, તેમ સ્વીકારીએ તોપણ ઘાતિકર્મના ક્ષયથી કેવલીને કૃતકૃત્ય સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેથી કેવલી કવલભોજન કરે છે માટે કૃતકૃત્ય નથી, એમ માનવાની આપત્તિ છે એમ જે દિગંબર કહે છે તે વચન વૃથા છે. પ્રસ્તુત શ્લોકની ટીકામાં કહ્યું કે કેવલીને ઉપાદિત્સાના અભાવમાં પણ ઉપાદેય એવા મોક્ષની સયોગીકેવલીપણાના કાળમાં અસિદ્ધિ છે. ત્યાં પ્રશ્ન થાય કે અયોગીકેવલીપણાના કાળમાં પણ મોક્ષની અસિદ્ધિ હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy