SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કેવલિભુતિવ્યવસ્થાપનાચિંશિકા/શ્લોક-૮ છે, એ પ્રમાણે જો તારો=દિગંબરનો, મત હોય તો નરપણું પણ=મનુષ્યપણું પણ, તને=દિગંબરને, દોષ થાય; કેમ કે સિદ્ધપણાનું દૂષણ છે. તસ્માન્ ... ૩૫રયામ: મા તે કારણથી=જેમ મનુષ્યપણું કેવલીને દૂષણ નથી, તેમ સુધા પણ દૂષણ નથી તે કારણથી, કેવલજ્ઞાનના પ્રતિબંધકપણા વડે ઘાતકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ અજ્ઞાનાદિનું જ દોષપણું છે, પરંતુ સુધાદિનું નહિ, એ પ્રમાણે યુક્ત છે તેમ અમે જોઈએ છીએ. ll૮. જ નરત્વપ અહીં પ થી એ કહેવું છે કે કેવલીને સુધા તો દોષ થાય, પરંતુ મનુષ્યપણું પણ સિદ્ધત્વનું દૂષણ હોવાથી દોષ થાય. ભાવાર્થ :અવ્યાબાધ સુખનો વ્યાઘાત કરનાર હોવાથી સુધા દોષરૂપ છે, એ પ્રમાણે દિગંબરના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : દિગંબર કહે છે, કેવલીને સુધા સ્વીકારીએ તો કેવલીમાં અવ્યાબાધ સુખનો વ્યાઘાત થાય અર્થાત્ નિરતિશય સુખનો વ્યાઘાત થાય અર્થાત્ કેવલી નિરતિશય સુખવાળા છે અને ક્ષુધા એ દુઃખના વેદનરૂપ છે. માટે સુખગુણનો વ્યાઘાત કરનાર સુધા દોષરૂપ છે. દિગંબરના આ કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અઘાતી એવા વેદનીયકર્મના ઉદયથી થતી સુધા સુખનો વ્યાઘાત કરનાર હોવાથી કેવલીને નથી, તેમ તમારા મત મુજબ સ્વીકારીએ તો, તેની જેમ અઘાતી એવા આયુષ્યકર્મના ઉદયથી થતા મનુષ્યપણાની પ્રાપ્તિ પણ સિદ્ધત્વ ગુણનો વ્યાઘાત કરનાર હોવાથી દોષરૂપ સ્વીકારવી પડે. દિગંબરોને પણ સિદ્ધત્વ ગુણને દૂષણ કરનાર હોવા છતાં મનુષ્યપણું કેવલીને અભિમત છે, તો કેવલીને મનુષ્યપણાની જેમ અઘાતિકર્મથી ઉત્પન્ન થયેલ સુધા સ્વીકારવામાં શું દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી, તેથી કેવલજ્ઞાનના પ્રતિબંધક એવા ઘાતિકર્મના ઉદયથી થનારા દોષો જ દોષરૂપ છે, અને તે દોષો કેવલીમાં નથી; પરંતુ સુધાદિ દોષો નથી, તેથી કેવલીને અઘાતી એવા વેદનીયકર્મના ઉદયથી સુધા હોઈ શકે, એમ અમે યુક્ત જોઈએ છીએ. માટે કેવલીને સુધા સ્વીકારવામાં અને સુધાને કારણે કવલભોજન સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી. IIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy