SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કેવલિભુતિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/શ્લોક-૫ મુવત્તે ..... નિમિત્તત્વાન્ ભક્તિનું ભોજનનું, લિમિતપણું છે=વ્યાધિનું નિમિત્તપણું છે. માવા ... વત્તિ | શ્લોક-૧થી૫ સુધી કહેલાં સર્વ કારણોને લીધે ભગવાન=કેવલી, ભોજન કરતા નથી, એ પ્રમાણે દિગંબરો કહે છે. પા પુરીષનુસંય અહીં પુરીષદ માં આવિ થી શરીરના અન્ય શ્લેષ્માદિ મળોનું ગ્રહણ કરવું. ભાવાર્થ :(૧૩) પરોપકારની હાનિ :કેવલીના મસ્તકમાંથી સદા ધ્વનિ નીકળે છે અને તે ધ્વનિ સદા દેશનારૂપે પરિણમન પામે છે, એ પ્રકારની દિગંબરની માન્યતા છે; અને કેવલીને ભુક્તિ સ્વીકારવામાં આવે તો ભુક્તિકાળમાં ધર્મદેશનાની અનુપપત્તિ પ્રાપ્ત થાય, અને સદા પરોપકારના સ્વભાવવાળા કેવલીને પરોપકારના વ્યાઘાતનો અયોગ છે. તેથી કેવલી કવલભોજન કરતા નથી. (૧૪) પુરીષાદિની જુગુપ્સા : કેવલીને ભોજન સ્વીકારવામાં આવે તો તે ભોજનમાંથી વિષ્ઠા બને અને અન્ય અશુચિમય ધાતુઓ બને અને તે ધાતુઓ પ્રત્યે જુગુપ્સા થાય; અને કેવલીને જુગુપ્સા હોતી નથી. તેથી જુગુપ્સાનું કારણ બને તેવી ભક્તિની ક્રિયા કેવલીને સ્વીકારી શકાય નહિ. (૧૫) વ્યાધિની ઉત્પત્તિ : આહારગ્રહણથી વ્યાધિની ઉત્પત્તિ થાય છે; કેમ કે જેમ આહાર દેહના ધાતુની પુષ્ટિનું કારણ છે, તેમ વ્યાધિનું પણ નિમિત્ત છે. આથી આહાર ગ્રહણ કર્યા પછી કોઈને વાતાદિના પ્રકોપ થાય છે, અને કેવલીને વ્યાધિની ઉત્પત્તિ નથી. તેથી વ્યાધિના નિમિત્તકારણ એવા આહારની પ્રવૃત્તિ નથી. આ પ્રમાણે શ્લોક-૧ થી પમાં જે હેતુ આપ્યા, તે હેતુથી કેવલીભગવંત ભોજન કરતા નથી, એમ દિગંબરો કહે છે. પા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy