SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા/શ્લોક-૫ શ્લોકાર્થ ઃ અને પરોપકારની હાનિ હોવાથી, પુરીષાદિમાં જુગુપ્સા થવાથી અને વ્યાધિની ઉત્પત્તિ હોવાથી કેવલીભગવંત ભોજન કરતા નથી, એ પ્રમાણે દિગંબરો કહે છે. IIII ટીકા ઃ 1 परेति परोपकारहानेश्च भुक्तिकाले धर्मदेशनाऽनुपपत्तेः सदा परोपकारस्वभावस्य भगवतस्तद्व्याघातायोगात् । पुरीषादिजुगुप्सया, भुक्तौ तद्ध्रौव्यात् । व्याध्युत्पत्तेश्च भुक्तेस्तन्निमित्तत्वात् । भगवान् केवली भुङ्क्ते नेति दिगम्बरा વન્તિ || ૧૩ ટીકાર્ય : પરોપારદાનેશ્વ, પરોપકારની હાનિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. ભોજનથી પરોપકારની હાનિ કેમ છે ? તેમાં હેતુ કહે છે મુવિજ્ઞાને ... અનુપત્તે:, ભુક્તિકાળમાં ધર્મદેશનાતી અનુપપત્તિ હોવાથી પરોપકારની હાનિ છે. માટે કેવલી કવલભોજન કરતા નથી. - અહીં પ્રશ્ન થાય કે કેવલી શેષકાળમાં પરોપકાર કરે અને ભુક્તિકાળમાં પરોપકાર ન કરે તો શું વાંધો છે ? તેથી બીજો હેતુ કહે છે – सदा ગોવાત્ । સદા=હંમેશાં, પરોપકાર સ્વભાવવાળા એવા કેવલીભગવંતને તેના વ્યાઘાતનો અયોગ હોવાથી=ધર્મદેશનાના વ્યાઘાતનો અયોગ હોવાથી કેવલી ભોજન કરતા નથી. Jain Education International पुरीषादि તત્ક્રોવ્યાત્ । પુરીષાદિમાં=મલાદિમાં, જુગુપ્સા થવાથી કેવલી ભોજન કરતા નથી; કેમ કે ભુક્તિમાં તેનું ધ્રુવપણું છે=ભોજનમાં મલાદિનું ધ્રુવપણું છે. વ્યાધ્યુત્પન્નેશ્વ, અને વ્યાધિની ઉત્પત્તિ હોવાથી કેવલી ભોજન કરતા નથી. અહીં પ્રશ્ન થાય કે કેવલીને વ્યાધિની ઉત્પત્તિ ન હોય એટલામાત્રથી ભોજન ક૨વામાં શું વાંધો છે ? તેથી કહે છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy