SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/પદાર્થોની સંક્ષિપ્ત સંકલના થનારા દોષો વીતરાગ ભગવંતમાં નથી, પરંતુ “બ્રાહ્મણો ન સ્નેચ્છિતવ્ય:' એ વચનનો અર્થ બ્રહ્મસ્વરૂપ આત્માને ગ્રહણ કરીને વિચારવામાં આવે તો બ્રાહ્મણ જેવા સિદ્ધના આત્માઓ અર્થાત્ બ્રહ્મસ્વરૂપમાં રહેનારા સિદ્ધના આત્માઓ, બ્લેચ્છ જેવી પુદ્ગલની ક્રિયા ક્યારેય કરતા નથી; પરંતુ વીતરાગ ઘાતિકર્મના ક્ષયની અપેક્ષાએ બ્રહ્મસ્વરૂપવાળા છે, તેમ સ્વીકારીએ તો, બ્રાહ્મણ જેવા વીતરાગ સર્વજ્ઞ મોહથી આકુળ થઈને કોઈ પ્રવૃત્તિ કરતા નથી. તેથી જે પ્રવૃત્તિમાં મોહની આકુળતા નથી, ફક્ત વિદ્યમાન અઘાતિકર્મને કારણે ઉચિત પ્રવૃત્તિ છે, તેવી પ્રવૃત્તિથી વીતરાગ ભગવંત મ્લેચ્છ જેવું આચરણ કરે છે, તેમ કહી શકાય નહિ; પરંતુ જેમ તીર્થકરો તીર્થકર નામકર્મના ઉદયથી કેવલ જગતના હિત અર્થે ઉપદેશાદિની પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિ તેમના વીતરાગભાવને દૂષિત કરતી નથી, અને ઉચિતકાળે યોગનિરોધ કરે છે, ત્યારે સર્વથા પરદ્રવ્યની પ્રવૃત્તિનો નિરોધ કરે છે, તેના ફળસ્વરૂપે સર્વકર્મરહિત એવું બ્રહ્મસ્વરૂપ પ્રગટે છે, ત્યારે સર્વથા પરદ્રવ્યની પ્રવૃત્તિ વગરના બને છે; વળી જેમ આત્મા માટે શુદ્ધ બ્રહ્મસ્વરૂપ સિદ્ધ ઉપાસ્ય છે, તેમ આત્મા માટે શુદ્ધ બ્રહ્મની નજીકની અવસ્થાને પામેલા અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિનો યોગમાર્ગ બતાવનારા તીર્થકરો પણ સર્વકર્મરહિત નહિ હોવા છતાં ઉપાસક માટે ઉપાસ્ય છે, અને તેવા ઉપાસ્ય વીતરાગ આહારની પ્રવૃત્તિ કરે છે, માટે પરદ્રવ્યની પ્રવૃત્તિ કરનારા વીતરાગ નથી, એમ કહીને તેમની ઉપાસ્યતાનો દિગંબરો જે અપલાપ કરે છે, તે શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી વિરુદ્ધ છે. આ પ્રકારના ગંભીર અર્થને સામે રાખીને ગ્રંથકારશ્રીએ દિગંબર મતનું નિરાકરણ કરેલ છે. પરંતુ માત્ર શ્વેતાંબરમત સ્વમત છે અને દિગંબર મત પરમત છે, તેને સામે રાખીને દિગંબરોએ બતાવેલ યુક્તિઓનું પ્રતિયુક્તિ દ્વારા પ્રસ્તુત ગ્રંથમાં નિરાકરણ કરેલ નથી, તેથી પ્રસ્તુત ગ્રંથની રચનાથી ગ્રંથકારશ્રીમાં વર્તતો કોઈ દર્શન પ્રત્યેના વલણ વગરનો તત્ત્વનો પક્ષપાત જ ઘોતિત થાય છે, માટે વાચકવર્ગે પ્રસ્તુત બત્રીશીને ગંભીરતાપૂર્વક જોવા યત્ન કરવો જોઈએ કે જેથી એવો ભ્રમ ન થાય કે દરેક દર્શનકાર સ્વમતનું સ્થાપન કરે છે, તેમ પ્રસ્તુત બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ પણ સ્વમતના સ્થાપનનો યત્ન કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy