SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુત્તિ વ્યવસ્થાપન દ્વાત્રિશિકા/પ્રસ્તાવના અઘાતિ કર્મને કારણે સર્વત્ર વીતરાગ ભગવાનની ઉચિત પ્રવૃત્તિ હોય છે, તેથી જે પ્રવૃત્તિમાં મોહની આકુળતા નથી, એવી ઉચિત પ્રવૃત્તિ કરનારા વીતરાગને ઉપદેશાદિની પ્રવૃત્તિ કે આહારાદિ ગ્રહણની પ્રવૃત્તિ તેમના વીતરાગભાવને દૂષિત કરતી નથી, અને ઉચિત કાળે જ્યારે વીતરાગ ભગવાન યોગનિરોધ કરે છે ત્યારે સર્વથા પારદ્રવ્યની પ્રવૃત્તિનો વિરોધ કરે છે, અને તેના ફળસ્વરૂપે સર્વકર્મરહિત આત્માનું બ્રહ્મસ્વરૂપ પ્રગટે છે ત્યારે વીતરાગ ભગવાન સર્વથા પરદ્રવ્યની પ્રવૃત્તિ વગરના સિદ્ધ ભગવાન બને છે. આ રીતે વીતરાગ ભગવાનના વીતરાગ સ્વરૂપનો યથાર્થ બોધ કરીને આવા વીતરાગ ભગવાનની ઉપાસના વીતરાગ થવા માટે કરીને હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્ય જીવો આત્માના બ્રહ્મ સ્વરૂપને-સિદ્ધ સ્વરૂપને નિકટના ભાવોમાં પ્રાપ્ત કરીએ એ જ શુભકામના. – ‘જ્યામસુ સર્વગીવાનામ્' વૈશાખ સુદ-૩,વિ. સં. ૨૦૬ર, તા. ૩૦-૪-૨૦૦૬, રવિવાર એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭. વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સા. રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સા. ચંદનબાલાશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy