SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ કેવલિભુતિવ્યવસ્થાપન દ્વાચિંશિકા/બ્લોક-૩૧-૩૨ ભાવાર્થ દિગંબરો કહે છે કે શ્વેતાંબરોના સ્વામી તીર્થંકરો કવલભોજન કરનારા હોવાથી ઉપાસ્યરૂપે કોઈ શિષ્ટ પુરુષ તેમને સ્વીકારી શકે નહિ. આ પ્રકારની વિપરીત મતિ છે જેમની એવા દુષ્ટ પુરુષો દ્વારા સ્વમતિથી કલ્પિત એવાં કલંકોથી અમારા ભગવાન=શ્વેતાંબરના ભગવાન, ક્યારેય દૂષિત થતા નથી. - આશય એ છે કે ભગવાન અપાયાપગમાતિશય આદિ ચાર અતિશયોથી યુક્ત છે, તેથી સંસારવર્તી સર્વ જીવોમાં પ્રકૃષ્ટ પુણ્યવાળા અને પ્રકૃષ્ટ ગુણના નિધાન છે. આથી દેહધારી અને અઘાતી કર્મવાળા હોવા છતાં કેવલ જગતના હિત માટે જાણે તેમનો ભવ ન હોય, એવો તેમનો ઉત્તમ ભાવ છે, અને એવા સ્વામીની ઉપાસના કરીને જ યોગ્ય જીવો વીતરાગ સર્વજ્ઞ થાય છે. આમ છતાં મતિની મંદતાને કારણે અને અવિચારકતાને કારણે દિગંબરોને એમ જ ભાસે છે કે પરદ્રવ્યની પ્રવૃત્તિ આત્માને માટે લજ્જાસ્પદ છે, અને એવી લજ્જાસ્પદ પ્રવૃત્તિ કરનારા સ્વામી ક્યારેય ઉપાસ્ય બને નહિ. આ પ્રકારનાં તેમનાં કલ્પિત કલંકોથી ભગવાનની વીતરાગતામાં ક્યાંય બાધ આવતો નથી; કેમ કે ભવોપગ્રાહિકર્મને કારણે ભગવાન દેહને ધારણ કરે છે, તેમ ભક્તિની ક્રિયા પણ કરે છે. તેથી ભવોપગ્રાહિકર્મથી થતી પ્રવૃત્તિ વીતરાગતાની બાધક નથી. ગ્રંથકારશ્રી સ્વકથનની પુષ્ટિ કરવા અર્થે દૃષ્ટાંત બતાવે છે – દિવસે સૂર્ય તપતો હોય ત્યારે ચોરોને થાય છે કે આ સૂર્ય ન હોય તો અમે સુરક્ષિત રહી શકીએ. તેથી કોઈ અવિચારક ચોરો સૂર્યને ઢાંકી દેવા માટે ધૂળનો ઉલ્લેપ કરે તો તેઓ દ્વારા ફેંકાયેલી ધૂળ સૂર્યને સ્પર્શતી નથી, તેમ દિગંબરો વડે અમારા=શ્વેતાંબરના સ્વામીને, અનુપાસ્ય તરીકે સ્થાપન કરવા માટે કલંકો અપાયાં તે કલ્પિત કલંકો અમારા શ્વેતાંબરના ભગવાનને, સ્પર્શતાં નથી. રૂપા અવતરણિકા – દિગંબરના મતનું ગ્રંથકારશ્રીએ નિઈલન કર્યું, તેનાથી કવલભોજન કરનારા ભગવાન ચાર અતિશયવાળા છે, માટે વીતરાગ છે તેમ સ્વીકારવામાં કોઈ બાધ નથી, તેમ સ્થાપન કર્યું. તેનાથી ભગવાનના શાસનની શોભા વધે છે, તે બતાવવા અર્થે પ્રસ્તુત બત્રીશીનું લિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004680
Book TitleKevalibhukti Vyavasthapana Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy